મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના પાટીદાર રત્ન સમાન અને સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજા (શિવાબાપા)ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિવાબાપાએ પોતાના જીવનમાં હંમેશા લોકોની સેવાને  જ પ્રાધાન્ય આપ્યું હતું  અને મોરબી પંથકના અનેક લોકોના સેવા કર્યો કર્યા હતા ત્યારે પાટીદાર સમાજના  સ્વ.શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો રક્તદાન કરવા માટે આવ્યા હતા આ તકે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી સિરામિક સેનેટરી વેર્સના પ્રમુખ કિરીટભાઇ ઓગણજા સહિતના અનેક આગેવાનો હાજર રહ્યા હતા અને સવારે સાડા આઠથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પમાં એક રક્તદાતાઓ રક્તદાન કર્યું હતું અને તેની સાથોસાથ કન્યા છાત્રાલય ખાતે છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી) દ્વારા સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવ્યા હતા






Latest News