હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયામાં યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











મોરબીના પીપળીયામાં યુવતીએ ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતી યુવતીએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નવલખી હાઈવે રોડ પર આવેલ પીપળીયા ગામે રહેતા પોપટભાઈ ભુંડિયા જાતે ભરવાડની દીકરી જીતુબેન (ઉમર ૧૭) એ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી યુવતીનું મોત થતા તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો અને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને યુવતીએ કયા કારણોસર પોતાના ઘરની અંદર આપઘાત કરી લીધેલ છે..? તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરેલ છે.જોકે નજીકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કામ બાબતે માતાએ ઠપકો આપ્યો હતો તે બાબતનું મનોમન લાગી આવવાથી જીતુબેનએ ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું બીન આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આધેળનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા જસાપર ગામના વતની માવજીભાઈ નરસંગભાઈ બોરીચા (ઉંમર ૪૮) નામના આધેડ બેભાન થઈ જતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને તેઓને મૃત જાહેર કર્યા હતા અને હાર્ટ એટેકના કારણે તેમનું મોત નીપજ્યું હોવાનું જાહેર થયું હતું હાલ એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરી બનાવ માળીયા પોલીસની હદમાં બન્યો હોય માળીયા પોલીસને બનાવની જાણ કરી હતી.

યુવાન સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારના રહેવાસી હસનઅલી ગુલામનબી નામનો ૨૦ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News