હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ પાર્ક કરેલા બાઇકની ચોરી


SHARE











હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ પાર્ક કરેલા બાઇકની ચોરી

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં વાડીએ પાર્ક કરેલા બાઇકની કોઈ અજાણ્યા ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા રાજેશભાઈ મૂળજીભાઈ નંદેસરિયા જાતે ઠાકોર (ઉમર ૩૦) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તા.૧૬-૩ ની રાતે કોઇ અજાણ્યો શખ્સ તેમની વાડીએ તેનું બાઇક નં. જીજે ૩૬ એબી ૯૦૦૮ પાર્ક કરીને મૂક્યું હતું તેની ચોરી કરી ગયેલ છે.જેથી હાલમાં ૩૫ હજાર રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે લાલબાગ પાછળ આવેલા રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા કરણ સંજયભાઈ રાવળદેવ નામના ૧૭ વર્ષીય યુવાનને ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને ગત મોડી રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા બીટ વિસ્તારના જવાબદાર જગદીશભાઈ ડાંગરે આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે મોરબી તાલુકાના આમરણ ગામના વતની વલ્લભભાઈ દેવકરણભાઈ કાસુન્દ્રા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં જીરાગઢ ગામ પાસે તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાઓ થવાથી વલ્લભભાઈ કાસુન્દ્રાને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.બનાવની જાણ થતાં પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આરોપી ઝડપાયો

મોરબીના પોલીસ અધિક્ષક મોરબી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અધિકારીઓને સૂચના આપી છે જેથી તે મુજબ કામ કરવામાં આવી રહ્યું છે અને હાલમાં પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને મળેલ હકિકત આધારે મોરબી તાલુકામાં નોંધાયેલ અકસ્માતના ગુનામાં નાસતા ફરતા આરોપી સંજયભાઇ મણીલાલ ચૌહાણ જાતે કોળી (ઉ.૨૨) મૂળ.રહે. જાલીમપુરા તાલુકો સજ્જનગઢ (રાજસ્થાન) હાલ રહે.કંસુમરા જીઆઇડીસી ભાવેશભાઇ પ્રજાપતિના ઇંટોના ભઠ્ઠામાં તાલુકો જામનગર વાળાની ધરપકડ કરવામાં આવી છે






Latest News