મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાની વિશાલા હોટલ નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







માળીયા મીંયાણાની વિશાલા હોટલ નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલી વિશાલા હોટલ પાસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબી સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલ વિશાલા હોટેલની પાસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા રાકેશ ફતેસિંગ હઠીલા (ઉમર ૩૫) રહે.છાંયા રોડ પોરબંદર વાળાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અહીં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ અર્થે બનાવ માળીયા પોલીસ મથકની હદનો હોય માળીયા પોલીસમાં જાણ કરી હતી.

ગુમ થયેલ યુવતી મળી આવી

મોરબીના સીટી બી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી થોડા સમય પહેલા નિર્મલાબેન ભાઇલાલભાઇ ગોહીલ નામની ૨૪ વર્ષીય યુવતી ગુમ થઇ ગઇ હતી જે અંગે મોરબી બી ડિવિઝનમાં જાણ કરવામાં આવી હતી.દરમિયાનમાં તપાસ ચલાવી રહેલા હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગર તથા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.૩-૪ ના રોજ ગુમ થયેલ નિર્મલાબેન ગોહિલ ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને ત્યાં તેમણે જણાવ્યું હતું કે ઝાલોદના રહેવાસી અજય દિનેશભાઇ તુવર નામના યુવાન સાથે પ્રેમસંબંધ હોય તેની સાથે લગ્ન કરીને રહેવા ઈચ્છે છે.હાલ આ અંગે નોંધ કરીને પોલીસે આ અંગેની આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબી નજીકના રાજપર ગામનો રહેવાસી મંથન બળવંતભાઈ નામનો ૧૭ વર્ષીય યુવાન એરોડ્રામ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે તે બાઇકમાંથી નિચે પડી જતા ઇજાગ્રસ્ત થયેલા મંથનને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતો બળદેવ રામસિંગભાઈ ઝિંઝુવાડીયા નામનો ૩૯ વર્ષીય યુવાન રફાળેશ્વર ફાટકથી જોધપર તરફ બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં થયેલ અકસ્માત બનાવમાં ઘવાયેલા બળદેવ ઝિંઝુવાડીયાને પણ સારવાર માટે અત્રે ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News