મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

પ્રેમલગ્ન કરનાર દંપતિએ માળીયા (મિ) ના વાધારવા ગામની સીમમાં સજોડે ખેતરમાં કર્યો આપઘાત


SHARE







પ્રેમલગ્ન કરનાર દંપતિએ માળીયા (મિ) ના વાધારવા ગામની સીમમાં સજોડે ખેતરમાં કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહીને મજૂરીકામ કરતાં એમપીના દંપતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને સજોડે આપઘાત કર્યો છે જેથી કરીને દંપતીનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને પ્રેમ લગન કરનારા દંપતીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના વધારવા ગામની સીમમાં દિગ્વિજયસિંહ બાબુભા જાડેજાના ખેતર ની અંદર રહીને મજૂરી કામ કરતા મજૂર દંપતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને સજોડે આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની હાલમાં ભાણજીભાઈ જાદવજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં પ્રકાશભાઈ રામસિંગભાઈએ માળિયા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દિગ્વિજયસિંહ જાડેજાના ખેતરને સુલ્તાનપુર ગામના રહેવાસી રમેશભાઈ નરશીભાઈએ વાવવા માટે રાખેલ છે અને ત્યાં મજૂરી કામ માટે રાહુલભાઈ મહેતાબભાઈ ભીલ (ઉમર ૨૧) અને તેના પત્ની સુનિતાબેન રાહુલભાઈ ભીલ (ઉંમર ૨૦) તેના પરિવાર સાથે રહેતા હતા અને તે બંનેને ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને તે બંનેના મૃતદેહને પી.એમ.માટે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા હતા.

માળીયા તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં માળિયા તાલુકા પીએસઆઈ બી.ડી. જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રાહુલ અને સુનિતાએ ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જોકે કયા કારણોસર આ દંપતીએ આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.






Latest News