મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

પ્રેમલગ્ન કરનાર દંપતિએ માળીયા (મિ) ના વાધારવા ગામની સીમમાં સજોડે ખેતરમાં કર્યો આપઘાત


SHARE











પ્રેમલગ્ન કરનાર દંપતિએ માળીયા (મિ) ના વાધારવા ગામની સીમમાં સજોડે ખેતરમાં કર્યો આપઘાત

માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામની સીમમાં આવેલા ખેતરમાં રહીને મજૂરીકામ કરતાં એમપીના દંપતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને સજોડે આપઘાત કર્યો છે જેથી કરીને દંપતીનું મોત નિપજતા તેના મૃતદેહને પીએમ માટે માળીયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને પ્રેમ લગન કરનારા દંપતીએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના વધારવા ગામની સીમમાં દિગ્વિજયસિંહ બાબુભા જાડેજાના ખેતર ની અંદર રહીને મજૂરી કામ કરતા મજૂર દંપતીએ ઝાડ સાથે દુપટ્ટો બાંધીને સજોડે આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની હાલમાં ભાણજીભાઈ જાદવજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતાં પ્રકાશભાઈ રામસિંગભાઈએ માળિયા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દિગ્વિજયસિંહ જાડેજાના ખેતરને સુલ્તાનપુર ગામના રહેવાસી રમેશભાઈ નરશીભાઈએ વાવવા માટે રાખેલ છે અને ત્યાં મજૂરી કામ માટે રાહુલભાઈ મહેતાબભાઈ ભીલ (ઉમર ૨૧) અને તેના પત્ની સુનિતાબેન રાહુલભાઈ ભીલ (ઉંમર ૨૦) તેના પરિવાર સાથે રહેતા હતા અને તે બંનેને ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને તે બંનેના મૃતદેહને પી.એમ.માટે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા હતા.

માળીયા તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં માળિયા તાલુકા પીએસઆઈ બી.ડી. જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે રાહુલ અને સુનિતાએ ચાર મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા જોકે કયા કારણોસર આ દંપતીએ આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.






Latest News