સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ અને ચાંચાપર ગામની મુલાકાત લેતી ગ્લોબલ કચ્છની ટીમ


SHARE











મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલ અને ચાંચાપર ગામની મુલાકાત લેતી ગ્લોબલ કચ્છની ટીમ

ગ્લોબલ કચ્છની વિશેષ ટીમે જળ સંચય બાબતે મોરબીના ઉદ્યોગપતિ જયસુખભાઇ પટેલનું માર્ગદર્શન લીધું હતુ અને ચાંચાપર ગામની મુલાકાત પણ કરી હતી.

જળ એજ જીવન છે ત્યારે વુમન એમ્પાવરમેન્ટની મિશાલ, જળ પ્રેમી અને પાટીદાર રત્ન એવા જયસુખભાઇ પટેલ તેમના વિશાળ બિઝનેસ એમ્પાયરની સાથે સાથે પંથકમાં જળ સંચય માટે પણ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.ગ્લોબલ કચ્છની ૩૦ થી ૩૫ સભ્યની વિશેષ ટીમે જયસુખભાઇની તેમજ જળસંચયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા મોરબીના ચાંચાપર ગામની મુલાકાત લીધી હતી.મોરબી જીલ્લાનું નાનકડું ચાંચાપર ગામ કચ્છના લોકો માટે જળસંચયનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની ગયું છે.નપાણીયા કહેવાતા કચ્છ વિસ્તારના ખેડૂતોએ જળસંચય માટે જયસુખભાઇ પટેલનું સવિશેષ માર્ગદર્શન મેળવ્યું હતું.  ચાંચાપર ગામની જેમ કચ્છના ખેડૂતોની સમૃદ્ધિ અને ઉન્નતીમાં વધારો થાય તે માટે જયસુખભાઇએ ગ્લોબલ કચ્છને હર હંમેશ તેમના સહકારની તૈયારી દાખવી હતી.અગાઉ પણ કચ્છ જિલ્લાના સાડા ત્રણસો ખેડૂત પ્રતિનિધિઓએ ચાંચાપર ગામની મુલાકાત લીધી હતી અને ચાંચાપર ગામને જળસંચયનું ઉત્કૃષ્ટ મોડેલ ગણાવ્યું હતું.જળસંચયના કાર્યો અને ખાસ કરીને રણ સરોવર માટે જયસુખભાઇ દ્વારા કરાતી અથાગ મહેનત બદલ દરેકે જયસુખભાઇ પટેલની સરાહના કરી હતી.આ મુલાકાત દરમ્યાન પ્રવીણ મોઝેક વાળા પ્રવીણભાઈ પટેલ, ચાંચાપર ગામના રમેશભાઈ, મનહરભાઈ ફેફર તથા ગામના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News