મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના ગાળા રોડે કારખાનામાં પગથિયું તૂટતા નીચે પટકાવાથી રાજસ્થાની આધેડનું મોત


SHARE











મોરબીના ગાળા રોડે કારખાનામાં પગથિયું તૂટતા નીચે પટકાવાથી રાજસ્થાની આધેડનું મોત

મોરબીના ગાળા રોડ ઉપર આવેલ કારખાનામાં પાણીનો ટાંકો ચેક કરવા માટે આધેડ ઉપર જતા હતા ત્યારે સીડીનું પગથિયું તૂટતા તે નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજસ્થાનના બાંસવાડાનો રહેવાસી અને હાલમાં મોરબીના ગાળા રોડ ઉપર આવેલ બિયોટા પેપર મિલ નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રામુભાઈ લવજીભાઈ કટારા (૫૨) નામના આધેડ કારખાનાની અંદર ઊંચાઈ પરથી નીચે પટકાયા હતા જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન આ બનાવની તપાસ કરતા એએસઆઈ એમ.આર. ગામેતી સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે મૃતક રામુભાઈ કારખાનામાં ૩૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલ પાણીનો ટાંકો ચેક કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે પગથિયું તૂટી જતા તે ઉપરથી નીચે પટકાયા હતા અને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં રહેતા અનુભાઈ સવજીભાઈ દેવીપુજક (ઉંમર ૫૫) મોરબી રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે શ્રીનાથજી કાંઠા પાસે તેને અજાણ્યા લોડર ચાલકે અડફેટે લીધા હતા જેથી અનુભાઈ દેવીપુજકને નાના મોટી ઇજાઓ થઇ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા






Latest News