મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરવયની બાળાનું અપહરણ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામેથી સગીરવયની બાળાનું અપહરણ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામે રહેતા અને મુળ ધ્રાંગધ્રા પંથકના રહેવાસી પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવાતા ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા હાલમાં તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ ધાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના રફાળેશ્વર નજીક રહેતા પરિવારની સગીર વયની દીકરીનું લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે મૂળ હળવદ તાલુકાના ધુળકોટનો વતની અને હાલ રફાળેશ્વર ગામે રહેતો દિલીપ ઉર્ફે જીગો રવજી સુરેલા જાતે કોળી નામનો ઇસમ અપહરણ કરી ગયો હોય ભોગ બનેલ સગીરાના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવતાં મોરબી તાલુકા પોલીસે કલમ ૩૬૩, ૩૬૬ તેમજ પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધીને ભોગ બનેલી સગીરા અને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.તાલુકા પીઆઈ વી.એલ.પટેલ તપાસ ચલાવી રહ્યા છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૧ માં રહેતા નિકીતાબેન હિતેશભાઈ રાઠવા નામની ૪૦ વર્ષીય મહિલાએ ડિપ્રેશનમાં આવી જઈને વધુ પડતી ઉંઘની ગોળીઓ ખાઈ લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા બનાવની જાણ થતાં બી ડીવીજન પોલીસ મથકના વી.ડી.મેતાએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુટીયા ગામે રહેતા ભીમસિંગભાઈનો દોઢ વર્ષીય દીકરો મનજીત ઘરે રમતો હતો ત્યારે રમતા રમતા હાથમાં દાજી જતા તેને ૧૦૮ વડે સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી ત્યાંના રહેવાસી અરવિંદ ચંદુભાઈ હળવદિયા જાતે દેવીપુજક નામના ૨૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે હળવદ તાલુકાના ચિત્રોડી ગામના રણછોડભાઈ ધનજીભાઈ ખોખર નામનો ૪૬ વર્ષીય યુવાને પોતાનું મોટરસાયકલ લઈને પીપળી જવા નીકળ્યો હતો ત્યારે ધાંગધ્રા અને કાઠી ગામની વચ્ચે તેના બાઈક સાથે બળદ અથડાતાં ઈજાગ્રસ્ત રણછોડભાઈ ખોખરને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો.






Latest News