ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો


SHARE







વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો

મોરબી જીલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિયામક આયુષની કચેરી, ગાંધીનગર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના આયુષ મેડિકલ ઓફિસરોએ પોતાની  સેવાઓ આપી હતી તેમાં વૈદ્ય મિલનકુમાર સોલંકી, વૈદ્ય ખ્યાતિબેન ઠકરાર, વૈદ્ય દિલીપ વિઠ્ઠલપરા, વૈદ્ય અલ્તાફ શેરસિયા, વૈદ્ય વીરેન ઢેઢી, ડો. જે પી ઠાકર, ડો. વિજય નાંદરિયા તેમજ નીલમ બેને આ કેમ્પમાં સેવા આપી હતી અને કેમ્પનો ૨૫૬ દર્દીઓએ લાભ લીધો હતો જેમાં ૧૬૦ દર્દીઓએ આયુર્વેદિક તેમજ ૯૬ દર્દીઓએ હોમિયોપેથી સારવાર લીધી હતી આ ઉપરાંત આયુર્વેદની દુઃખાવા માટેની વિશેષ અગ્નિકર્મ સારવારનો લાભ ૫૩ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં આવનાર દર્દીઓને યોગ માર્ગદર્શન, સ્વસ્થવૃત ચાર્ટ પ્રદર્શન, ઉકાળા વિતરણ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સંશમની વટી અને આર્સેનિક આલ્બમ ૩૦ નું વિતરણ કરવામાં આવ્યું હતુ અને સમગ્ર કેમ્પમાં વાંકાનેર ખાતે આવેલ ઉમેદચંદભાઈ મહેતા પુસ્તકાલયના ટ્રસ્ટીઓનો ખૂબ સહકાર મળ્યો હતો






Latest News