હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે બેઠક યોજાઇ


SHARE











મોરબી જિલ્લામાં જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે બેઠક યોજાઇ

જલ જીવન મિશન કાર્યક્રમના અમલીકરણ માટે મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક  નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ મોરબી જિલ્લાના પ્રગતિ હેઠળના ૧૩ ગામોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તથા પાણી સમિતિ દ્વારા કામો સમયસર પૂર્ણ થાય તે જોવા તાકીદ કરવામાં આવી હતી. મોરબી તાલુકાના મોટી વાવડી ગામે ૨,૫૯,૯૮૪ તેમજ હળવદ તાલુકાના માનસર ગામમાં ૩૬,૩૨,૦૩૧ મળીને કુલે ૩૮,૯૨,૦૧૫ રૂપિયાના કામોને શરતી વહિવટી મંજૂરી આપવામાં આવી હતી.

આ ઉપરાંત વાકાંનેર તાલુકાના ઓળશેખરડીભેરડાજેપુરમક્તાનપરરાતડીયા તેમજ ટંકારા તાલુકાના ગજાડી ગામના કુલે ૧,૨૭,૦૧,૪૪૬ રૂપિયાના કામોની રીવાઇઝ વહિવટી મંજૂરી બહાલ કરવામાં આવી હતી. જલ જીવન મિશન કાર્યક્રમ ૨૦૨૧-૨૨ માં પૂર્ણ થયેલ ૧૪ યોજનાઓના પાણી સમિતિ દ્વારા કરવામાં કામોની વિગતવાર સમીક્ષા કરી હિસાબો વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી અને યોજનાઓ પૈકી કુલ ૧,૯૬,૨૧,૪૪૪ રૂપિયાના કામો પૂર્ણ જાહેર કરવા બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (વાસ્મો)ની વડી કચેરીના પરિપત્રો વંચાણે લઇ તેનું નિયમોનુસાર પાલન કરવાગ્રામ પંચાયતની જૂની ટાંકી તોડી પાડવાવિવિધ યોજનાના કામોમાં ખરીદ થતી પાઇપોની ગુણવત્તા અંગે નિયમિત મોનીટરીંગ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર ઉપરાંતજિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાજિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરીના જે.આર. મોડવીયાજીડબ્લ્યુઆઇએલ કચેરીના દર્શિત ભટ્ટજિલ્લા માહિતી કચેરીના ભરતભાઇ ફુલતરીયાપાણી પુરવઠા બોર્ડ કચેરીના દિવ્યા પટેલ અને યુનિટ મેનેજર પી.એન. ત્રિવેદી હાજર રહ્યા હતા.






Latest News