મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલી ગામ પાસે કારખાનાના ચોકીદાર ઉપર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો


SHARE











વાંકાનેરના જાલી ગામ પાસે કારખાનાના ચોકીદાર ઉપર બે અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો

વાંકાનેર તાલુકાના જાલી ગામની સીમમાં આવેલા કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરતા યુવાન પાસે અજાણ્યા બે શખ્સો રાત્રી દરમિયાન આવ્યા હતા ત્યારે તે પૈકીનાં એક શખ્સે તેને છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને હાલમાં સારવાર લીધા બાદ ભોગ બનેલા યુવાને અજાણ્યા બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ગામની જાલી ગામની સીમમાં આવેલ અમૃત કારખાનામાં સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા અશોકભાઈ રામજીભાઈ ગોરીયા જાતે કોળી (ઉંમર ૩૨) એ હાલમાં બે અજાણ્યા શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ અમૃત કારખાનામાં ચોકીદાર તરીકે કામ રહે છે ત્યારે રાત્રિના સમયે અજાણ્યા બે શખ્સો કારખાના પટમાં આવીને દરવાજો ખખડાવ્યો હતો જેથી કરીને તેઓએ દરવાજો ખોલતાની સાથે જ ત્યાં આવેલા બે શખ્સો પૈકીનાં એકે તેને કોઇ કારણોસર છાતીના ડાબા ભાગે છરી મારી હતી જેથી લોહી નીકળતા અશોકભાઈએ રાડા રાડ કરી મૂકતાં તેના પત્ની ત્યાં આવી ગયા હતા જેથી કરીને અજાણ્યા બંને શખ્સ ત્યાંથી ભાગી છૂટયા હતા અને ઇજા પામેલા અશોકભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને ત્યાર બાદ સારવાર લઈને અશોકભાઈએ અજાણ્યા બે શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દેશીદારૂની ભઠ્ઠી

મોરબી તાલુકાના અમરાપર ગામની સીમમાં વોકળાના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા થયા રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી કુલ મળીને દેશી દારૂ બનાવવા માટેનો વપરાતો ૧૮૩૦ લિટર આથો અને ગેસનો બાટલો, ગેસનો ચૂલો તેમજ અન્ય સાધન સામગ્રી મળીને છ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપરથી દિનેશભાઈ આયદાનભાઇ ગરચર જાતે બોરીચા (ઉંમર ૪૨) રહે. અમરાપર વાળો મળી આવતાં તેની ધરપકડ કરેલ હતી.






Latest News