મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પાલિકા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા !: અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ..!


SHARE







મોરબી પાલિકા દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા !: અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ..!

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા પાલિકામાં ટેનની લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી હોવા છતાં પણ પાલિકા દ્વારા તેનો કોઈ યોગ્ય કાયમી નિકાલ કરવામાં આવતો નથી જેથી લોકો હેરાન થઇ રહ્યા છે અને સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે

લોકોને પીવાનું તેમજ ઘર વપરાશ માટે શુદ્ધ પાણી મળે તે જોવાની જવાબદારી પાલિકાની હોય છે જો કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તે અંગેની પાલિકામાં રજુઆતો કરવામાં આવી છે તો પણ પાલિકાના અધિકારી કે પદાધિકારી દ્વારા લોકોના આરોગ્યને નુકશાન કરે તેવા પ્રશ્નમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેથી લોકોના નાછૂટકે આરોગ્યને નુકશાન કરે તેવા દૂષિત પાણીનો ઉપયોગ કરવો પડે છે

સામાન્ય રીતે ચોમાસામાં વરસાદ પછી ડેમમાં નવા પાણીની આવક થાય ત્યાર બાદ થોડા સમય સુધી ડહોળું પાણી મોરબીમાં આવે છે જો કે, હાલમાં ચોમાસું ન હોવા છતાં પણ લોકોને પાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે ડહોળું અને ગટરની ગંદી વાસ આવતું પાણી આવે છે જેથી આ પાણી પીવાના પાણી તરીકે ઉપયોગ કરવાના વાત તો દૂર છે પરંતુ ઘર વપરાશના પાણી તરીકે પણ લોકો ઉપયોગ કરી શકતા નથી માટે દૂષિત પાણીનું વિતરણ બંધ થાય અને લોકોને પીવા અને ઘર વપરાશ માટે શુદ્ધ પાણી મળે તેવી સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે

ઉલેખનીય છે કે, આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ભરાઈ જાય એટ્લે દૂષિત પાણી આવે છે તે પાલિકાના સતાધીશોને ખબર જ છે તો પણ દૂષિત પાણી ન આવે તે માટે સમયસર ગટરની સફાઈ કરાવવામાં આવતી નથી જેના લીધે લોકોને હેરાન થવું પડે છે અને આ સોસાયટીના લોકોના કહેવા મુજબ મોરબી નજીકના મહાકાય મચ્છુ-૨ ડેમની અંદર હાલમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ પાલિકાના અધિકારી પદાધિકારીએ અને સ્ટાફની અણ આવડતના લીધે દુષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

જો આવી જ રીતે દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવશે તો લોકોમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી સ્થાનિક લોકોમાં દહેશત જોવા મળી રહી છે અને આટલું જ નહિ મોરબીના માજી ચીફ ઓફિસર દ્વારા અરૂણોદયનગરમાં અગાઉ પાલિકામાં તે જયારે વહીવટદાર હતા ત્યારે લોકદરબાર ભરવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક લોકોએ દૂષિત પાણીનો વર્ષો જુનોન પ્રશ્ન ઉકેલવા માટે કહ્યું હતું અને ત્યારે રાબેતા મુજબ આશ્વાસન આપવામાં આવ્યું હતું જો કે, આજ દિવસ સુધીમાં કામ કરવામાં આવ્યું નથી તે હક્કિત છે






Latest News