મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન

મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને પાંચ દિવસ શહેરના જુદાજુદા વિસ્તારમાં રાષ્ટ્રીય કથા રાખવામા આવી છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે ત્યારે દેશભક્તિને ઉજાગર કરતા જુદાજુદા કાર્યક્રમો નગરજનોને જોડાવવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે

૧૯૩૧ની ૨૩ મી માર્ચના રોજ દેશના સપૂતો શહીદ ભગતસિંહસુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી જેને દેશમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે જો કે, આ વર્ષે મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને શહીદોની સ્મૃતિમાં તા. ૨૩ થી ૨૭ સુધી દેશભક્તિના જુદાજુદા સ્થળ ઉપર રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે જો કે, ૨૩ તારીખે સાંજે પાંચ કલાકે જીઆઈડીસીથી શરૂ થઈને રત્નકલાના મેદાન સુધી અમરજવાન સ્મૃતિ રેલી યોજવાની છે

વધુમાં માહિતી આપતા મહેશભાઇ ભોરણીયાએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય કથાનું આયોજન આ એક જ જગ્યાએ ન કરીને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર એક એક દિવસ કથા યોજાશે જેમાં તા ૨૩ ગ્રીનસીટી રમકો બંગલો સામે, તા ૨૪ કાશી વિશ્વનાથ મંદિર આલાપ પાર્ક, તા ૨૫ સોમનાથ સોસાયટી સાર્વજનિક પ્લોટ, તા ૨૬ પંચાસર રોડ રાજનગર મહાદેવ પાન પાસેનું મેદાન અને તા ૨૭ ના રોજ સુભાષનગર ગરબી ચોકમાં આ રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નગરજનોએ તેનો લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News