મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન


SHARE











મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા અમર જવાન સ્મૃતિ રેલી-રાષ્ટ્રીય કથાનું આયોજન

મોરબીમાં ૨૩ માર્ચ શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને પાંચ દિવસ શહેરના જુદાજુદા વિસ્તારમાં રાષ્ટ્રીય કથા રાખવામા આવી છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે ત્યારે દેશભક્તિને ઉજાગર કરતા જુદાજુદા કાર્યક્રમો નગરજનોને જોડાવવા માટે આયોજકોએ આહ્વાન કર્યું છે

૧૯૩૧ની ૨૩ મી માર્ચના રોજ દેશના સપૂતો શહીદ ભગતસિંહસુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી જેને દેશમાં શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે જો કે, આ વર્ષે મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા શહીદ દિનની યાદગાર ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને શહીદોની સ્મૃતિમાં તા. ૨૩ થી ૨૭ સુધી દેશભક્તિના જુદાજુદા સ્થળ ઉપર રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અંજલીબેન આર્ય દ્વારા રાષ્ટ્રીય કથાનું લોકોને રસપાન કરાવવામાં આવશે જો કે, ૨૩ તારીખે સાંજે પાંચ કલાકે જીઆઈડીસીથી શરૂ થઈને રત્નકલાના મેદાન સુધી અમરજવાન સ્મૃતિ રેલી યોજવાની છે

વધુમાં માહિતી આપતા મહેશભાઇ ભોરણીયાએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય કથાનું આયોજન આ એક જ જગ્યાએ ન કરીને જુદાજુદા પાંચ સેન્ટર ઉપર એક એક દિવસ કથા યોજાશે જેમાં તા ૨૩ ગ્રીનસીટી રમકો બંગલો સામે, તા ૨૪ કાશી વિશ્વનાથ મંદિર આલાપ પાર્ક, તા ૨૫ સોમનાથ સોસાયટી સાર્વજનિક પ્લોટ, તા ૨૬ પંચાસર રોડ રાજનગર મહાદેવ પાન પાસેનું મેદાન અને તા ૨૭ ના રોજ સુભાષનગર ગરબી ચોકમાં આ રાષ્ટ્રીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નગરજનોએ તેનો લાભ લેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News