મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વાધરવા પાસે કારનું ટાયર ફાટતા પાંચને ઇજા, ત્રણને રાજકોટ ખસેડાયા


SHARE











મોરબીના વાધરવા પાસે કારનું ટાયર ફાટતા પાંચને ઇજા, ત્રણને રાજકોટ ખસેડાયા

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા વાધરવા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં અલ્ટો કારનું ટાયર ફાટતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ ઉપરથી આવતા આઇશરની સાથે અથડાતાં કારમાં બેઠેલા પાંચ પૈકી ત્રણને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ લઇ જવાયા છે અને બે ને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વાધરવા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં અલ્ટો કારમાં જતાં ભુજના રહેવાસી પાંચ લોકો અકસ્માતનો ભોગ બન્યા હતા.અલ્ટો કારનું ટાયર ફાટવાથી કાર ડિવાઈડર કુદીને સામેના રોડ ઉપરથી આવી રહેલ આઈસરની સાથે અથડાઈ હતી જે બનાવમાં ભુજના રહેવાસી પાંચ પૈકીના હરદેવસિંહ રાણા (૪૫), અરૂણાબા હરદેવસિંહ (૪૫) અને કોકિલાબા (૪૫) ને ઇજાઓ થઇ હોય તેઓને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ત્રણેયને રાજકોટ લઇ જવાયા છે.જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળેલ છે.ઇજાગ્રસ્તો ભુજના રહેવાસી હોવાનું જાણવા મળેલ છે હાલ એ ડીવીઝન પોલીસે પ્રાથમિક તપાસ કરી હતી.

બે બાઇક સામસામે અથડાતાં આધેડને ઈજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પુજારા મોબાઈલ પાસે બે બાઇક સામસામે અથડાયા હતા જે બનાવમાં કારખાનેથી પરત ઘર તરફ જઈ રહેલા રફિકભાઈ અલારખાભાઈ મીર (ઉમર ૫૪) રહે.વજેપર શેરી નંબર-૧૧ નામના આધેડને ઇજાઓ થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે ટંકારા તાલુકાના ખોડાપીપર ગામે નદી નજીક બાઇક સ્લીપ થઇ જતાં પડધરી નજીકના ખાખરાબેલા ગામના વતની મનોજસિંહ રણજિતસિંહ જાડેજા નામના ૪૮ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.

અજાણી દવા પી લેતા વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના બાદનપર ગામના રહેવાસી કરસનભાઈ વાલજીભાઈ પરમાર નામના ૭૦ વર્ષીય વૃદ્ધે કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને અસર થવાથી અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા ત્યાંથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં હાલ તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.






Latest News