મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત


SHARE













મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને પતિ સાથે રાત્રે ફોનમાં વાત કરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું લાગી આવતા મહિલાએ એપાર્ટમેન્ટમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર ગંગા દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ભગવતી એપાર્ટમેન્ટની અંદર હાલમાં રહેતા મૂળ નેપાળના રહેવાસી જનકભાઈ તમતાના પત્ની કલ્પનાબેન (ઉંમર ૩૩) એ ભગવતી એપાર્ટમેન્ટની અંદર બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એસ. મેસવાણીયાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મૃતક કલ્પનાબેનને તેના પતિ જનકભાઈ સાથે મોડી રાત્રે ફોનમાં વાત કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને મૃતક પરિણીતાને બે સંતાન હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News