મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત


SHARE











મોરબીના રવાપર રોડે રહેતી પરિણીતાને ફોનમાં મોડી રાતે વાત કરવા બાબતે પતિ સાથે બોલાચાલી થતાં કર્યો આપઘાત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ભગવતી એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાને પતિ સાથે રાત્રે ફોનમાં વાત કરવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી જેનું લાગી આવતા મહિલાએ એપાર્ટમેન્ટમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર ગંગા દર્શન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ ભગવતી એપાર્ટમેન્ટની અંદર હાલમાં રહેતા મૂળ નેપાળના રહેવાસી જનકભાઈ તમતાના પત્ની કલ્પનાબેન (ઉંમર ૩૩) એ ભગવતી એપાર્ટમેન્ટની અંદર બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાની અંદર ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવની તપાસ કરી રહેલા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એસ. મેસવાણીયાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ મૃતક કલ્પનાબેનને તેના પતિ જનકભાઈ સાથે મોડી રાત્રે ફોનમાં વાત કરવા બાબતે બોલાચાલી થઈ હતી જેથી કરીને લાગી આવતા તેણે આપઘાત કર્યો હોય તેવું હાલમાં પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને મૃતક પરિણીતાને બે સંતાન હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News