મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ: રાસંગપરનું રામામંડળ આજે મોરબીમાં રમઝટ બોલાવશે


SHARE











વાંકાનેરમાં ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ

વાંકાનેર પંથકના ખેડૂતો પોતાના ચણાનું ટેકાના ભાવે વેચાણ કરી શકે તે માટે વાંકાનેર ખાતે કેન્દ્ર ન હોય તેઓએ ૫૦ કિલોમીટરનું અંતર કાપીને મોરબી આવું પડે છે..! માટે ખેડૂતોને પડતી આ હાલાકી મુદ્દે અહીંના ગુજકોમાસોલના હોદ્દેદારને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેર ખાતે ચણાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે.વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદારોને ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર ટંકારા મુકામે હોય ખેડૂતને હેરાન થવું પડે છે અને ૫૦ કિલોમીટરનું અંતર કાપીને ખેડૂતોએ ટંકારા આવવું પડે છે. તે માટે ગુજકો માર્સલના ડિરેક્ટર તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયાને રૂબરૂમાં વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ ચંદ્રપુર સહકારી મંડળીના પ્રમુખ જલાલભાઈ શેરસીયાએ લેખીત રજૂઆત કરતા આ વાતને ધ્યાને લઇને બે દિવસમાં વાંકાનેરમાં કેન્દ્ર ચાલુ કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ છે.

મોરબીમાં આજે રાતે રાસંગપરનું રામામંડળ રમઝટ બોલાવશે

મોરબીના રવાપર-ઘુનડા પર આવેલી શક્તિ ટાઉનશીપ સામે સાહેબ પેલેસ ખાતે રાસંગપરના જાણીતા રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.સાહેબ પેલેસના મનજીભાઈ હરજીભાઈ આદ્રોજા તેમજ મયુરભાઈ આદ્રોજા પરિવાર દ્વારા આયોજીત આ રામામંડળ આજે તા.૧૬ ને બુધવારના રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે. રાસંગપર રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય રીતે પ્રસ્તુતિ કરી રામદેવપીરજીનું જીવન ચરિત્ર રજુ કરશે.રામામંડળ નિહાળવા મોરબીની ધર્મપ્રેમી જનતાને આયોજક મનજીભાઈ આદ્રોજાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News