મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ: રાસંગપરનું રામામંડળ આજે મોરબીમાં રમઝટ બોલાવશે


SHARE













વાંકાનેરમાં ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર શરૂ કરવા માંગ

વાંકાનેર પંથકના ખેડૂતો પોતાના ચણાનું ટેકાના ભાવે વેચાણ કરી શકે તે માટે વાંકાનેર ખાતે કેન્દ્ર ન હોય તેઓએ ૫૦ કિલોમીટરનું અંતર કાપીને મોરબી આવું પડે છે..! માટે ખેડૂતોને પડતી આ હાલાકી મુદ્દે અહીંના ગુજકોમાસોલના હોદ્દેદારને લેખિતમાં રજૂઆત કરીને વાંકાનેર ખાતે ચણાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલી છે.વાંકાનેર તાલુકાના ખેડૂત ખાતેદારોને ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર ટંકારા મુકામે હોય ખેડૂતને હેરાન થવું પડે છે અને ૫૦ કિલોમીટરનું અંતર કાપીને ખેડૂતોએ ટંકારા આવવું પડે છે. તે માટે ગુજકો માર્સલના ડિરેક્ટર તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઇ વડાવીયાને રૂબરૂમાં વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ ચંદ્રપુર સહકારી મંડળીના પ્રમુખ જલાલભાઈ શેરસીયાએ લેખીત રજૂઆત કરતા આ વાતને ધ્યાને લઇને બે દિવસમાં વાંકાનેરમાં કેન્દ્ર ચાલુ કરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવેલ છે.

મોરબીમાં આજે રાતે રાસંગપરનું રામામંડળ રમઝટ બોલાવશે

મોરબીના રવાપર-ઘુનડા પર આવેલી શક્તિ ટાઉનશીપ સામે સાહેબ પેલેસ ખાતે રાસંગપરના જાણીતા રામામંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.સાહેબ પેલેસના મનજીભાઈ હરજીભાઈ આદ્રોજા તેમજ મયુરભાઈ આદ્રોજા પરિવાર દ્વારા આયોજીત આ રામામંડળ આજે તા.૧૬ ને બુધવારના રાત્રે ૮:૩૦ કલાકે યોજાશે. રાસંગપર રામામંડળના કલાકારો દ્વારા સંગીતમય રીતે પ્રસ્તુતિ કરી રામદેવપીરજીનું જીવન ચરિત્ર રજુ કરશે.રામામંડળ નિહાળવા મોરબીની ધર્મપ્રેમી જનતાને આયોજક મનજીભાઈ આદ્રોજાએ જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News