માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના અણીયારી ટોલનાકે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું મોત થતાં કાર ચાલક સામે નોંધાયો ગુનો


SHARE











માળીયા(મી)ના અણીયારી ટોલનાકે સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું મોત થતાં કાર ચાલક સામે નોંધાયો ગુનો

મોરબીના જેતપર ગામના વતની એવા પટેલ વૃદ્ધ પોતાના ખેતરેથી પરત ઘર તરફ જતા હતા ત્યારે અણીયાળી ટોલનાકા પાસે તેમના બાઇકને કાર ચાલકે હડફેટે લૂધુ હતું જેથી કરીને ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરાએ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે

મોરબીના જેતપર ગામના રહેવાસી પ્રેમજીભાઈ થોભણભાઇ જાકાસણીયા જાતે પટેલ (૬૫) પોતાનું બાઈક લઈને પોતાના ખેતર બાજુ ગયા હતા અને ત્યાંથી પરત ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં અણીયારીના ટોલનાકા પાસે કાર નંબર જીજે ૫ જેપી ૪૭૭૭ ના ચલકે તેમના બાઇક નંબર જીજે ૩ ઇકે ૯૧૬૮ લઈને જતાં હતા ત્યારે માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા થઈ હતી માટે પ્રેમજીભાઈને પ્રથમ મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રેમજીભાઈ થોભણભાઈ જાકાસણીયાનું મોત નિપજ્યું હતું હાલ આ બનાવમાં મૃતકના દીકરા નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ જાકાસણીયા જાતે પટેલ (ઉ.૪૦)એ કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ધમકીના કેસમાં ધરપકડ

મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં થોડા સમય પહેલા ફોન ઉપર ધમકી આપવાનો બનાવ બન્યો હતો જેમાં નોંધાયેલી ફરિયાદમાં પોલીસે મધ્યપ્રદેશથી એક ઈસમની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.બી ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રહેવાસી અજયભાઈ તિવારીએ સુનિલ કિશોર શર્મા જાતે બ્રાહ્મણ રહે.મધ્યપ્રદેશ સામે ધમકી આપવી બાબતે ફરિયાદ નોંધાવી હતી.ટ્રકના હપ્તા મુદ્દે ફોન ઉપર ધમકી આપવામાં આવી હોય તે અંગે કલમ ૫૦૪, ૫૦૭ મુજબ પોલીસ દ્રારા ફરિયાદ નોંધવામાં આવી હતી જે ગુનામાં છેલ્લા ઘણા સમયથી ફરાર સુનિલ કિશોર શર્મા જાતે બ્રાહ્મણ (ઉમર ૪૨) રહે.મધ્યપ્રદેશવાળો નાસતો ફરતો હતો જેને હાલમાં બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે.




Latest News