મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા


SHARE











મોરબી જીલ્લાના ૧૩,૬૦૦ જેટલા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયા

મોરબી જીલ્લામાં ચણાને ટેકાના ભાવે વેચાણ કરવા માટે ૧૩,૬૦૦ જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને આજથી મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ટેકાના ભાવેથી ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે સાંસદ મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા અને ખેડૂતોના ચણાની ટેકાના ભાવે મોરબી માર્કેટ યાર્ડ સહિત જીલ્લામાં કુલ મળીને ત્રણ સેન્ટરો ઉપર ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે

વર્તમાન સમયમાં યાર્ડના ખુલ્લા માર્કેટમાં ચણા ખેડૂતો વેચી રહ્યા છે તેના કરતાં વધુ ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે જેથી કરીને ખેડૂતો મોરબી જીલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવે તેની લાંબા સમયથી ખેડૂતો દ્વારા રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે મોરબી જીલ્લામાં મોરબી માર્કેટ યાર્ડ, હળવદ માર્કેટ યાર્ડ અને ટંકારા ખાતે જીનમાં ખેડૂતો પાસેથી ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે

મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાંથી ટેકાના ભાવે ચણા વેચવા માટે કુલ મળીને ૧૩,૬૦૦ ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને આ ખેડૂતો પાસેથી વહેલામાં વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી લેવામાં આવે તે જરૂરી હતું ત્યારે રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતોમાંથી દરરોજના ૧૦૦ જેટલા ખેડૂતોને દરેક સેન્ટર ઉપર બોલાવીને તેના ચણાની ખરીદી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અને કોઇપણ ખેડૂતના ચણા રીજેક્ટ ન કરવામાં આવે તે રીતે ખરીદીની પ્રક્રિયા કરવામાં આવે તેની પણ અધિકારીઓને કાળજી રાખવા માટે મોહનભાઇ કુંડારિયા સહિતના આગેવાનો સૂચના આપી છે 

રાજકોટ સાંસદ મોહાનભાઈ કુંડારિયાએ જણાવ્યુ હતું કે, આજની તારીખે ખુલ્લા માર્કેટમાં ખેડૂતો તેનો ચણાનો માલ વેચવા માટે જાય તો વધુમાં વધુ ૮૦૦ થી ૯૦૦ રૂપિયા ભાવ આવે છે જો કે, સરકાર દ્વારા ગુજકો માર્સલના નેજા હેઠળ ખેડૂતો પાસેથી ૧૧૪૩ રૂપિયાના ભાવથી ટેકના ભાવે ચણાની ખરીદી શરૂ કરેલ છે જેથી કરીને ખેડૂતોને તેના માલનો પૂરો ભાવ મળશે સાથોસાથ ખુલ્લા બજારમાં પણ ચણાના ભાવમાં વધારો થશે જેથી કરીને ખેડૂતોને પોતાના માલનો સારો ભાવ મળશે આ તકે યાર્ડના ચેરમેન ભાવાનભાઇ ભાગીયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવિયા, મોરબી જીલા પંચાયતના માજી પ્રમુખ અને યાર્ડના ડિરેક્ટર કેશુભાઈ રૈયાણી, મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News