હું છું કિશોરભાઈ ચીખલીયા ના સંકલ્પ સાથે મોરબીમાં કોંગ્રેસ કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ, શહેરની કાયાપલટનું આપ્યું કોંગ્રેસના પ્રમુખે કમિટમેન્ટ મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ
Breaking news
Morbi Today

હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની અમર મહેલમાં ઉજવણી કરાઇ


SHARE











હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની અમર મહેલમાં ઉજવણી કરાઇ

હળવદના ૫૩૪ માં સ્થાપના દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમર મહેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે હળવદ-ધ્રાંગધ્રા રાજપરિવારના મહારાજકુમાર દેવરાજસિંહજી ઝાલા, રાજરાણા પ્રહલાદસિંહજી ઝાલા (સોખડા) ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રાજમહેલ ચોક સ્થિત બત્રીસ થંભિમા જે હળ થી હળવદ ગામનો પાયો નાખવામાં આવ્યો હતો એ હળનું પૂજન તેમજ તોરણ વિધાન, ગૌ પૂજન, અશ્વ પૂજન, શિવ શક્તિ પૂજન,વિધિ કરી અને રાજરાજેશ્વરી આધ્યાશક્તિમાંના આશિષ પ્રાપ્ત કરી અને શરણેશ્વર દાદાના દર્શન કરવા પ્રયાણ કરવામાં આવ્યું હતું. અને ત્યારે શરણનાથ મંદિરના હોદેદારો તેમજ સેવકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. હળવદ- ધ્રાંગધ્રા મહારાજા રાજ જયસિંહજી મેઘરાજસિંહજી અમેરિકાથી આ ઉજવણીના પ્રસંગે આવ્યા હતા અને શુભ આશીષ અને શુભેચ્છાઓ પાઠવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હળવદ સ્થાપના દિન મહોત્સવ સમિતિ ઝાલાવાડ પ્રાંત,  હળવદ-ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર ના હોદેદારો સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી






Latest News