ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !


SHARE











વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !

વાંકાનેર તાલુકાના પલાસ ગામે મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવા ગઇ હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને આઠમાંથી પાંચ જુગારીઓને પોલીસે જોઈને નાસી છૂટયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં ૧૨૧૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પલાસ ગામે આવેલ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરી હતી ત્યારે સતિષભાઈ ગોરધનભાઈ કુણપરાવાલજીભાઈ ભનુભાઈ કુણપરા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેશભાઈ સતાભાઈ ગમારા જુગાર રમતા મળ્યા હતા માટે પોલીસે ૧૨૧૦૦ ની રોકડ કબજે કરી છે અને નાસી છૂટેલા જુગારીઓમાં મનુભાઈ બાબુભાઇ લાંબરીયાભગુભાઈ નથુભાઈ કુણપરાભરતભાઈ માધાભાઈ કુણપરામહેશભાઈ કુકાભાઈ લાંબરીયા અને મનસુખભાઈ ચોથાભાઈ છત્રોલિયાનો સમાવેશ થાય છે.આ જુગારીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરે છે જોકે હાલમાં પોલીસે ૧૨૧૦૦ ની રોકડ કબજે કરી છે 

મારામારીમાં ત્રણને ઇજા 

મોરબીના લીલાપર ગામે રહેતા સંજય જગજીવન થરેસા (૩૨)જયાબેન જગજીવનભાઈ થરેસા (૫૪) અને સોનલબેન રણજીતભાઈ દેગામા (૨૮) ને ગામમાં બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે લવાયા હતા.જ્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલા બોનીપાર્ક વિસ્તારમાં નંદિની એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિદાબેન હિમાંશુભાઈ વિઠલાપરા નામની ૨૮ વર્ષીય મહિલાએ કોઈ અજાણી દવાની વધુ પડતી ગોળીઓ ખાઇ લેતાં તેણીને સારવારમાં મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. હર્ષિદાબેનનો લગ્નગાળો દોઢ વર્ષનો જ હોવાનું પણ જાણવા મળ્યું છે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News