ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત


SHARE











મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં અગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં મકાનની અગાસી પરથી નીચે પટકાતા યુવાનને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને હેમરેજ થઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરે છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા હરિકૃષ્ણભાઇ ઉર્ફે લાલો અશોકભાઈ સાપરિયા (ઉંમર ૩૪) નામના યુવાને મોરબી બી ડિવીઝન પોલીસને જાણ કરી હતી કે મોરબીના વાવડી રોડ ઉપર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા રાજેશસિંહ રવિન્દ્રસિંહ રાણા (ઉંમર ૪૨) લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેણાંક મકાનની અગાસી પરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેને માથામાં હેમરેજ થઈ જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે પોલીસે નોંધ કરી ને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

હાર્ટ એટેકથી મોત 

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મૂળ વાઘપર ગામના રહેવાસી અરવિંદભાઈ લક્ષમણભાઈ બાવરવા (૪૦) ને પોતાના ઘરે હાર્ટએટેક આવી જતાં તેના મૃતદેહને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News