મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે સિરામિકના શેડ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE













મોરબીના લખધીરપુર રોડે સિરામિકના શેડ ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત 

મોરબી નજીકના લખધીરપુર રોડ પર આવેલ સિરામિકના કારખાનામાં શેડ ઉપર પતરાનું કામ કરી રહેલ યુવાન પતરુ તુટતા ઉપરથી અકસ્માતે નીચે પડ્યો હતો જેથી કરીને તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે ઇજાગ્રસ્ત યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો જોકે રાજકોટ ખાતે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યુ હતુ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી વીસીપરા વિસ્તારની અંદર રેલવે સ્ટેશન પાછળ ખાડામાં આદમભાઈ ઘાંચીના મકાનમાં રહેતા આરીફભાઈ અલારખાભાઈ બ્લોચ જાતે ફકીર (ઉંમર વર્ષ ૨૩) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ પર આવેલ જેકસ સિરામિકમાં સેડ ઉપર ચડીને કામ કરી રહ્યો હતો ત્યારે પતરુ તૂટી પડતાં તે અકસ્માતે નીચે પડ્યો હતો અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે પ્રથમ સારવારમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે આ યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News