મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !


SHARE











વાંકાનેરના પલાસ ગામે જુગારની રેડ થતાં જુગારીઓમાં નાસભાગ. ત્રણ પકડાયા, પાંચ નાસી ગયા !

વાંકાનેર તાલુકાના પલાસ ગામે મંદિરની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવા ગઇ હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને આઠમાંથી પાંચ જુગારીઓને પોલીસે જોઈને નાસી છૂટયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને હાલમાં ૧૨૧૦૦ નો મુદ્દામાલ કબજે કરેલ છે 

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પલાસ ગામે આવેલ મહાદેવ મંદિરની પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરી હતી ત્યારે સતિષભાઈ ગોરધનભાઈ કુણપરાવાલજીભાઈ ભનુભાઈ કુણપરા અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેશભાઈ સતાભાઈ ગમારા જુગાર રમતા મળ્યા હતા માટે પોલીસે ૧૨૧૦૦ ની રોકડ કબજે કરી છે અને નાસી છૂટેલા જુગારીઓમાં મનુભાઈ બાબુભાઇ લાંબરીયાભગુભાઈ નથુભાઈ કુણપરાભરતભાઈ માધાભાઈ કુણપરામહેશભાઈ કુકાભાઈ લાંબરીયા અને મનસુખભાઈ ચોથાભાઈ છત્રોલિયાનો સમાવેશ થાય છે.આ જુગારીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરે છે જોકે હાલમાં પોલીસે ૧૨૧૦૦ ની રોકડ કબજે કરી છે 

મારામારીમાં ત્રણને ઇજા 

મોરબીના લીલાપર ગામે રહેતા સંજય જગજીવન થરેસા (૩૨)જયાબેન જગજીવનભાઈ થરેસા (૫૪) અને સોનલબેન રણજીતભાઈ દેગામા (૨૮) ને ગામમાં બનેલા મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવારમાં અહીંની સિવિલ હોસ્પિટલે લવાયા હતા.જ્યારે મોરબીના રવાપર ગામ પાસે આવેલા બોનીપાર્ક વિસ્તારમાં નંદિની એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિદાબેન હિમાંશુભાઈ વિઠલાપરા નામની ૨૮ વર્ષીય મહિલાએ કોઈ અજાણી દવાની વધુ પડતી ગોળીઓ ખાઇ લેતાં તેણીને સારવારમાં મંગલમ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. હર્ષિદાબેનનો લગ્નગાળો દોઢ વર્ષનો જ હોવાનું પણ જાણવા મળ્યું છે હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News