મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

ટંકારામાંથી સગીરાનું અપહરણ: માતાએ ફરિયાદ નોંધાવી


SHARE











ટંકારામાંથી સગીરાનું અપહરણ: માતાએ ફરિયાદ નોંધાવી

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનામાં મજૂરી કામ કરવા માટે તેને આવેલા પરિવારની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લધીરગઢ ગામે આવેલ જય બાલાજી પોલિપેક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા રચનાબા હરીસિંહ આહિરવાર (34)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુનિલ મોતીલાલ મહતો રહે. બિહાર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, ટંકારાની લતીપર ચોકડીના બ્રિજ નીચે માર્કેટ પાસેથી ફરિયાદીની સગીર વયની દીકરી સપનાનું આરોપી દ્વારા લલચાવી ફોસલાવીને અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનેલ સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તથા સગીરાને શોધી કાઢવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

અકસ્માતમાં ઇજા

ટંકારાના ગણેશપર ગામે રહેતા દર્શનભાઈ રોહિતભાઈ પ્રજાપતિ (26) નામનો યુવાન મોરબીની વાવડી ચોકડી પાસેથી બાઈકમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણી ટ્રાવેલ્સના ચાલકે કાવુ મારવા જતા સમયે બાઇકને હડફેટે લેતા તે બાઇકમાંથી પડી ગયો હતો અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના સાવડી ગામે રહેતા કાદરીયાભાઈ વેસાકીયાભાઈ બામણીયા (30), લાભુબેન કાદરીયાભાઇ બામણીયા (25) અને અસ્મિતાબેન કાદરીયાભાઈ (4) નામના ત્રણેય વ્યક્તિઓ બાઈક ઉપર અમરાપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે કૂતરુ આવતા  બાઇક સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ત્રણેય વ્યક્તિઓને ઇજા થતાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News