મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા
Breaking news
Morbi Today

કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી


SHARE











કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સારસકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીઝના જયંતી દીદી આવ્યા હતા અને તેઓ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે જેમ વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે.

મોરબીમાં આજે લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે મોરબી બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરાયું હતુ જેમાં બ્રહ્માકુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બી.કે. જયંતિ દીદી આવ્યા હતા અને તેઓની હાજરીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) અને દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યા યોજાઇ હતી ત્યાર બાદ આ કાર્યક્રમમાં આવેલા મોરબીવાસીઓને સંબોધતા બી.કે. જયંતિ દીદીએ જણાવ્યુ હતું કે, આપણે બધા જ પરમાત્માના સંતાનો છીએ અને બધામાં પોઝિટીવી ઉર્જા છે બસ આપણામાં જ નહીં પરંતુ આપણાંમાંથી બીજાને પણ પોઝિટીવી ઉર્જા મળે તેવી આપણે સહુકોઈએ કરવાની જરૂર છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે. ઉલેખનીય છેકે, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં 48 વર્ષ સુધી પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું હતું અને તેઓ તા. 6/2/2025 ના  રોજ અવસાન પામ્યા હતા જેથી કરીને તેઓની પ્રથમ પૂરણતિથિ નિમિતે તેઓની સ્મૃતિમાં આ કાર્યક્રમ મોરબીના આંગણે કરવામાં આવેલ હતો.






Latest News