મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી


SHARE













કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી

મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સુખી જીવન કા સારસકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રહ્માકુમારીઝના જયંતી દીદી આવ્યા હતા અને તેઓ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે જેમ વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે.

મોરબીમાં આજે લીલાપર કેનાલ રોડ પર આવેલા ક્લાસિક પાર્ટી પ્લોટ ખાતે મોરબી બ્રહ્માકુમારીઝ દ્વારા “સુખી જીવન કા સાર સકારાત્મકતા” કાર્યક્રમનું આયોજન કરાયું હતુ જેમાં બ્રહ્માકુમારીઝના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ હેડ બી.કે. જયંતિ દીદી આવ્યા હતા અને તેઓની હાજરીમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો (ગેટ વે ટુ હેવન) અને દિવ્ય સુર ઝનકાર સંગીત સંધ્યા યોજાઇ હતી ત્યાર બાદ આ કાર્યક્રમમાં આવેલા મોરબીવાસીઓને સંબોધતા બી.કે. જયંતિ દીદીએ જણાવ્યુ હતું કે, આપણે બધા જ પરમાત્માના સંતાનો છીએ અને બધામાં પોઝિટીવી ઉર્જા છે બસ આપણામાં જ નહીં પરંતુ આપણાંમાંથી બીજાને પણ પોઝિટીવી ઉર્જા મળે તેવી આપણે સહુકોઈએ કરવાની જરૂર છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, વર્તમાન સમય કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લઈ આવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે છે. ઉલેખનીય છેકે, રાજયોગી બ્રહ્માકુમારી ચંદ્રિકા દીદી પ્રજાપતિએ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં 48 વર્ષ સુધી પોતાનું સંપૂર્ણ જીવન ઈશ્વરીય સેવામાં સમર્પિત કર્યું હતું અને તેઓ તા. 6/2/2025 ના  રોજ અવસાન પામ્યા હતા જેથી કરીને તેઓની પ્રથમ પૂરણતિથિ નિમિતે તેઓની સ્મૃતિમાં આ કાર્યક્રમ મોરબીના આંગણે કરવામાં આવેલ હતો.






Latest News