મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન
હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE
હળવદના કાવડિયા ગામનો બનાવ: રિસામણે બેઠેલ પત્નીએ સરખો કામ ધંધો ન કરે ત્યાં સુધી પરત ન આવવાનું કેહતા યુવાને અણધાર્યું પગલું ભર્યું
હળવદના કવાડિયા ગામે રહેતા યુવાનની પત્ની રિસામણે બેઠેલ હોય તે ગુમસુમ રહેતો હતો અને તેની પત્નીએ યુવાન સરખો કામ ધંધો નહીં કરે ત્યાં સુધી પરત આવવાની ના પાડી હતી જેથી કંટાળી ગયેલા યુવાને વાડીએ ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
હળવદ તાલુકાના કવડિયા ગામે રહેતા વિરમભાઇ ઉર્ફે હકો ધનજીભાઈ કોપાણીયા (30) નામના યુવાને પોતાની વાડીએ જાંબુડાના ઝાડ સાથે દોરડું બાંધીને પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા ધનજીભાઈ રામજીભાઈ કોપાણીયા (55) રહે. કવાડિયા વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક યુવાનની પત્ની છેલ્લા બે ત્રણ મહિનાથી રિસામણે હતી અને મૃતક યુવાન ત્યારથી ગુમસૂમ રહેતો હતો અને જ્યાં સુધી મૃતક યુવાન સરખો કામ ધંધો નહીં કરે ત્યાં સુધી તેની પત્નીએ પરત આવવાની ના પાડેલ હતી જેથી કંટાળી જઈને યુવાને આ અંતિમ પગલું ભર્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.