મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની પાછળ પાણીના તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર નજીક કારખાનાની પાછળ પાણીના તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાની પાછળના ભાગમાં પગ લપસી જવાના કારણે યુવાન પાણીના તલાવડામાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ અરવલ્લી જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ રોલસ્ટો પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો કલ્પેશભાઈ દિનેશભાઈ હાથો (18) સરતનપર ગામની સીમમાં આવેલ કાસા સિરામિકની પાછળના ભાગમાં પાણીના તલાવડા પાસે હતો ત્યારે કોઈ કારણોસર પગ લપસતા તે પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની શૈલેષભાઈ જાદવજીભાઈ પટેલ (40) રહે. મહેન્દ્રનગર વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કરી હાથ ધરી છે

વાહન અકસ્માત

મોરબીના ગ્રીન ચોક નજીક બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફિરોજશા અકબરશા ફકીર (૪૭) રહે.મેમણ શેરી કુબેરનાથ રોડને અત્રે ૐ ઓર્થોપેડિક હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. તેમજ ગોંડલના ગુંદાસર ગામ નજીક અવંતિકા સોસાયટીમાં રહેતા લીલાવતીદેવી તેજનારાયણ કુંવર નામના ૬૪ વર્ષીય વૃધ્ધા ગુંદાસર ગામ પાસે ગામની ચોકડી નજીકથી બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માતે વાહનમાંથી પડી ગયા હોય સારવાર માટે મોરબી ખસેડાયા હતા.અને હળવદના દીઘડીયા ગામે રહેતો હરદેવ રામાભાઇ પરાડિયા નામનો ૧૫ વર્ષનો સગીર દીઘડીયાથી શક્તિનગર જતો હતો ત્યારે હળવદ ચોકડી પાસે વાહન સ્લીપ થતાં સારવાર માટે અત્રે આયુસમાં ખસેડાયો હતો.

વ્યાજ વટાવ કેસમાં કાર્યવાહી

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલ વ્યાજ વટાવના કેસમાં એ ડિનિઝન પોલીસ દ્વારા પ્રકાશ રામજીભાઈ પઢારીયા રબારી (૨૬) રહે.નાના રામપર તા.ટંકારા જી.મોરબીની અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં રિમાન્ડ પુરા થતા તેને જેલ હવાલે કરાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News