મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત


SHARE











વાંકાનેરના લાલપર પાસે વાડીની બાજુમાં આવેલ કેનાલમાં ડૂબી જવાથી માસૂમ બાળકનું મોત

વાંકાનેરના લાલપર ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનનો સાડા ત્રણ વર્ષનો દીકરો વાડીની બાજુમાં આવેલ કેનાલમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલના પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર નજીક આવેલ લાલપર પાસે મહમદહુસેનભાઈ મોમીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મહેન્દ્રભાઈ સંઘાળીયાનો સાડા ત્રણ વર્ષનો દીકરો લવરાજ સંઘાળીયા રમતા રમતા વાડીની બાજુમાં આવેલ કેનાલના પાણીમાં પડી ગયો હતો અને ત્યાં કેનાલમાં પાણીમાં ડૂબી જવાના કારણે તે માસુમ બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે પ્રતાપસિંહની વાડીએ રહીને મજૂરી કામ કરતા પ્રવીણભાઈ કારીયાભાઈ રાઠવા (20) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઝેરી દવા પીધી

ટંકારામાં રહેતા મનીષાબેન વિજયભાઈ (25) નામના મહિલાએ કોઈ કારણોસર ગત તા. 27/1 ના બપોરના એકાદ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News