મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિરએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી છે. ગત તા 2/2/26 ના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ, રાજકોટ ખાતે રાજ્યકક્ષાની બાળ નાટક/ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાયેલ હતી જેમાં સાર્થક વિદ્યામંદિરમાંથી નૃત્ય નાટિકા (કાન ગોપીનો વેશ) સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર , નાટક (જસમા ઓડણ) સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર , શ્રેષ્ઠ અભિનય ( ઇન્દ્ર ) કેવિન રાહુલભાઈ ભંખોડિયા તેમજ શ્રેષ્ઠ દિગ્દર્શક & નૃત્ય નિર્દેશક રવિરાજ પ્રાણજીવનભાઈ પૈજા રહ્યા હતા. આ ઉત્કૃષ્ટ દેખાવ બદલ સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલે સર્વેને અભિનંદન પાઠવ્યા હતા.