મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પીઠળ માઁ ના નવરંગ માંડવાનુ આયોજન: મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે


SHARE











મોરબીના પાનેલી ગામે પીઠળ માઁ ના નવરંગ માંડવાનુ આયોજન: મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

મોરબી તાલુકાના પાનેલી ગામને આંગણે રૂડો અવસર આવ્યો છે જેમા આગામી તારીખ ૧૭-૨ ના રોજ સમસ્ત પાનેલી ગામના લોકફાળાથી ગામની કુળદેવી ગામ ઝાંપાની પીઠળ માઁ ના નવરંગ માંડવાનું તેમજ તે નિમિતે મહાયજ્ઞનું ધર્મમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે.જેથી કરીને સમસ્ત પાનેલી ગામ અને પાનેલી ગામની તમામ સમાજની બહારગામ સાસરે હોય તે બહેન દીકરીઓને ભાણેજો સાથે માઁ પીઠળનો મહાપ્રસાદ લેવા ગામના સરપંચ ગૌતમભાઇ દ્રારા ગામવતી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

મોરબીના અસોશિએશન ઓફ પીડિયાટ્રીશીયન અને મુંબઇની જસલોક હોસ્પિટલના સંયુકત ઉપક્રમે થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં થેલેસેમિયાની બિમારીવાળા બાળકોની સંપૂર્ણ તપાસ કરીને દવાઓની માહિતી આપવામાં આવશે.તે ઉપરાંત થેલેસેમિયાની નવી સારવારના વિકલ્પો જેમ કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને જીન થેરાપી વિષે પણ કેમ્પમાં માહિતી આપવામાં આવશે. કેમ્પમાં જસલોક હોસ્પિટલ, મુંબઈના ડૉ. ચિંતન વ્યાસ સેવા આપશે.તેઓ બાળકોની લોહીની બીમારી તથા કેન્સરના નિષ્ણાત છે.તેમજ ગુજરાતનાં પ્રથમ અને એકમાત્ર બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત છે.કેમ્પ આગામી તા.૨૦-૨ ને રવિવારે સવારે ૯ વાગ્યાથી અહિંના આઇએમએ હોલ, નીલકંઠ વિદ્યાલયની સામે, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે જેમા ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંહર ૯૪૦૮૨ ૭૪૬૦૬ ઉપર સંપર્ક કરવો તેમ મોરબી આઇએમએ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News