મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે પીઠળ માઁ ના નવરંગ માંડવાનુ આયોજન: મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે


SHARE











મોરબીના પાનેલી ગામે પીઠળ માઁ ના નવરંગ માંડવાનુ આયોજન: મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

મોરબી તાલુકાના પાનેલી ગામને આંગણે રૂડો અવસર આવ્યો છે જેમા આગામી તારીખ ૧૭-૨ ના રોજ સમસ્ત પાનેલી ગામના લોકફાળાથી ગામની કુળદેવી ગામ ઝાંપાની પીઠળ માઁ ના નવરંગ માંડવાનું તેમજ તે નિમિતે મહાયજ્ઞનું ધર્મમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે.જેથી કરીને સમસ્ત પાનેલી ગામ અને પાનેલી ગામની તમામ સમાજની બહારગામ સાસરે હોય તે બહેન દીકરીઓને ભાણેજો સાથે માઁ પીઠળનો મહાપ્રસાદ લેવા ગામના સરપંચ ગૌતમભાઇ દ્રારા ગામવતી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પ યોજાશે

મોરબીના અસોશિએશન ઓફ પીડિયાટ્રીશીયન અને મુંબઇની જસલોક હોસ્પિટલના સંયુકત ઉપક્રમે થેલેસેમિયાના દર્દીઓ માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં થેલેસેમિયાની બિમારીવાળા બાળકોની સંપૂર્ણ તપાસ કરીને દવાઓની માહિતી આપવામાં આવશે.તે ઉપરાંત થેલેસેમિયાની નવી સારવારના વિકલ્પો જેમ કે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને જીન થેરાપી વિષે પણ કેમ્પમાં માહિતી આપવામાં આવશે. કેમ્પમાં જસલોક હોસ્પિટલ, મુંબઈના ડૉ. ચિંતન વ્યાસ સેવા આપશે.તેઓ બાળકોની લોહીની બીમારી તથા કેન્સરના નિષ્ણાત છે.તેમજ ગુજરાતનાં પ્રથમ અને એકમાત્ર બાળકોના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત છે.કેમ્પ આગામી તા.૨૦-૨ ને રવિવારે સવારે ૯ વાગ્યાથી અહિંના આઇએમએ હોલ, નીલકંઠ વિદ્યાલયની સામે, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે જેમા ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય રજીસ્ટ્રેશન માટે મોબાઇલ નંહર ૯૪૦૮૨ ૭૪૬૦૬ ઉપર સંપર્ક કરવો તેમ મોરબી આઇએમએ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News