મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના મયૂરનગર ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ-સસરાની ધરપકડ, સાસુની શોધખોળ


SHARE













હળવદના મયૂરનગર ગામે પરિણીતાએ કરેલા આપઘાતના બનાવમાં પતિ-સસરાની ધરપકડ, સાસુની શોધખોળ

 હળવદ તાલુકાના મયૂરનગર ગામે રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાં દહેજ મુદે ત્રાસ આપતા હતા જેથી તે પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો આ બનાવમાં મૃતક પરિણીતાના પિતાએ તેના જમાઈ તેમજ વેવાઈ અને વેવાણ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરેલ છે

દહેજના દાનવા લીધે ઘણી દીકરીઓનો ભાગ લેવાય છે આવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયૂરનગર ગામે એક પરિણીતાએ આપઘાત કર્યો હતો અને તા. ૭/૨ રોજ સરોજબેન નિકુલભાઇ નામની પરિણીતાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક પરિણીતાના પિતાએ તેના જમાઈ, વેવાઈ અને વેવાણ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરીને મારવા માટે મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં મૃતક પરિણીતાના પતિ અને સસરાની ધરપકડ કરેલ છે

જે પરિણીતાએ આપઘાત કર્યો હતો તેના પિતા માવજીભાઈ મૂળજીભાઈ જાદવ જાતે દલવાડી (ઉંમર ૫૮) રહે નવા વેગડવાવ વાળાએ તેના જમાઈ નિકુલભાઇ હીરજીભાઈ, દિકરીના સાસુ વસંતાબેન હીરજીભાઈ અને સસરા હીરજીભાઈ અમરશીભાઈની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, તેની દીકરીને તેઓએ મારવા માટે મજબૂર કરી છે અને તેની દીકરી સાથે તેના પતિ અને સાસરિયા દ્વારા અવારનવાર ઝઘડા કરીને ગાળો આપવામાં આપતા હતા અને દહેજ બાબતે માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી તેની દીકરી સરોજબેને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે અત્રે ઉલેખનીય છે કે, દહેજ ન લેવા માટે ઘણી જાહેરાતો કરવામાં આવે છે જો કે, આજની તારીખે પણ ઘણી દીકરીઓ દહેજના ખપ્પર માં હોમાઈ રહી છે હાલમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મયુરનાગર ગામે દહેજના લીધે દીકરીનો ભોગ લેવાયો છે ત્યારે આપઘાત કરનાર પરિણીતાના પતિ અને સસરાની પોલીસે ધરપકડ કરી છે અને તેની સાસુને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News