સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

કોરોનામાં ભુલાઈ ગયેલા ગરીબ ભાજપને હવે યાદ આવ્યા !: રમેશભાઈ રબારી


SHARE











કોરોનામાં ભુલાઈ ગયેલા ગરીબ ભાજપને હવે યાદ આવ્યા !: રમેશભાઈ રબારી

 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સમિતિના માજી ઉપપ્રમુખ રમેશભાઇ બી. રબારીએ સીએમ ઉપર સીધું જ નિશાન ટંકાયું છે અને કોરોના સમયે ભુલાઈ ગયેલા ગરીબો હવે ગુજરાત સરકારને યાદ આવ્યા છે અને ગરીબ મેળા ચાલુ કર્યા છે તેવી ટકોર કરી છે

આગામી ૨૫ તારીખથી રાજયમાં ગરીબ મેળા યોજાશે ત્યારે સરકારને ગરીબો યાદ આવ્યા ? કોરોના કાળમાં અનેક ગરીબ પરિવારો પાયમાલ થઈ ગયા અને હજારો લોકો મોતને ભેટયા છે ત્યારે ગરીબોને પુરી સારવાર નથી આપી, ઓકિસજનની ભારે અછત અને પાયમાલી થયેલ છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલ પરિવારને ડીજાસ્ટર નિયમાનુસાર ચાર લખાની સહાયની જગ્યાએ માત્ર ૫૦,૦૦૦ ચુકવેલ છે અને તે પણ અંશતઃ કોરોનામાં અનેક પરિવાર બેરોજગાર બન્યા છે જેઓ પાસે આજે પણ ધંધો રોજગાર નથી હોસ્પિટલમાં દવા અને સારવારનાં અભાવે અનેક લોકો મરણને શરણ થયા છે ત્યારે સરકારી તંત્ર અને જવાબદાર રાજકિય આગેવાનો કર્યાં હતા ? સરકારી અધિકારીઓ કયાં હતા ? જેઓ કોઈને ઉપયોગી થતા નથી અને ગરીબ લોકોને હડધૂત કરાતા હતા

હવે આજે ચૂંટણીટાણે ગરીબ મેળાઓ કરી ગરીબ લોકોને અને સમાજને મૂર્ખ બનાવવા પેતરા ચાલુ કરેલ છે જે કોરોના પિડિત દર્દી દવાખાના સિવાય ઘેર સારવાર લીધી હો જેઓ ગમે ત્યાં જતા આવતા સારવાર શોધતા મૃત્યુ પામ્યા હો તેઓને સહાય મળેલ નથી અને ચોકકસ નોંધ નથી. આવા લાભાર્થી પરિવારોને મૃત્યુ દીઠ ચાર લાખની સહાય આપવી જોઈએ નાના ધંધાર્થીઓને રોકડ સહાય અને સબસીડી આપવી જોઈએ તો જ ગરીબ મેળા સાર્થક ગણાય બાકી તો આ ચૂંટણીલક્ષી મેળાઓ નિરર્થક બની રહેશે તેવું કહીને રમેશભાઈએ આવા નાટકીય તાયફાઓનાં બદલે વાસ્તવીક તપાસ કરીને કોરોનાનાં ભોગ બનનાર પરિવારોને પુરતી સહાય આપવાની માંગ કરેલ છે 






Latest News