મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં ચા બનાવતા દાઝી ગયેલ આધેડ સારવારમાં


SHARE











મોરબીના વીસીપરામાં ચા બનાવતા દાઝી ગયેલ આધેડ સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછાબ કોલોનીમાં રહેતા બસીરભાઈ અબ્દુલભાઈ ગાલબ જાતે ઘાંચી નામના આધેડ તેમના ઘેર રસોડામાં ચા બનાવતા હતા ત્યારે ગેસ લીકેજ હોય અને દિવાસળી કરતાં આગની જાર લાગી હતી જેમાં મોઢા અને પેટના ભાગે દાઝી ગયેલી હાલતમાં બસીરભાઈ અબ્દુલભાઈ ગાલબ નામના ૫૨ વર્ષીય ઘાંચી આધેડને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતાં બીટ જમાદાર વશરામભાઇ મેતાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાઠે સાયન્સ કોલેજ પાસે આવેલા બૌધ્ધનગર વિસ્તારમાં રહેતા અને રીક્ષાડ્રાઇવીંગનું કામ કરતા અજય અશોકભાઇ કુરીયા નામના ૨૮ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા તેને સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને પોલીસ નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, તે પોતે તેના મિત્ર કનૈયાભાઈના ઘર પાસે રિક્ષા લઈને ઉભો હતો ત્યારે ત્યાં આવેલા કોઇ વ્યક્તિએ 'અહીં કેમ ઊભા છો..?' તેમ કહીને ઝઘડો કર્યા બાદ તેને માર માર્યો હતો તેથી તેને સારવાર માટે લઇ જવાયો હતો.

મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર અરૂણોદયમિલની સામે આવેલા મફતપરા વિસ્તારમાં રહેતી ભાનુબેન ભરતભાઈ રાઠોડ નામની ૪૩ વર્ષીય મહિલાએ તા.૭ ના રાત્રીના દસ વાગ્યે આયોઝોમલ નામની દવાની ૧૫ જેટલી ટીકડીઓ એકી સાથે ખાઈ લેતા તેણીને અસર થવાથી ભાનુબેન રાઠોડને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News