મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર એસિડ પી ગયેલા વૃદ્ધા રાજકોટ ખસેડાયા


SHARE











મોરબીના રવાપર રોડ ઉપર એસિડ પી ગયેલા વૃદ્ધા રાજકોટ ખસેડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધા કોઈ કારણોસર એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટ બી વિંગમાં રહેતા લીલાવંતીબેન ત્રિભોવનભાઈ મોરડીયા નામના ૬૩ વર્ષીય વૃદ્ધા એસિડ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.હાલ બનાવ સંદર્ભે એ ડીવીઝન પોલીસે નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબીના રવાપર કેનાલ ચોકડી પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી શહેરના સનાળા રોડ ઉમિયા સર્કલ નજીક રહેતા અશોકભાઈ લાવાભાઈ પરમાર નામના ૩૬ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના દાદાશ્રીનગર ગામે દિનેશભાઈની વાડી રહીને મજૂરીકામ કરતાં મુકેશ સોવેનસિંગ મેળા નામના ૩૫ વર્ષીય આદીવાસી યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ગત મોડી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુકેશની સાથે રહેતો અને મજૂરી કામ કરતો તેનો કૌટુંબિક ભાઇ તેરસિંગ મેડા દ્વારા પથ્થર વડે હુમલો કરવામાં આવતા મુકેશ મેડાને ઈજાઓ પહોંચી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેલચોક વિસ્તારની સામે રહેતા લાખાભાઈ કાળાભાઈ વાઘેલા નામનો ૩૩ વર્ષીય યુવાન પાલિકા ખાતેથી પોતાના ઘરે જતા હતા તે સમયે રામચોકની પાસે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત લાખાભાઈ વાઘેલાને અહીંની મધુરમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News