મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડ ઉપર એસિડ પી ગયેલા વૃદ્ધા રાજકોટ ખસેડાયા


SHARE











મોરબીના રવાપર રોડ ઉપર એસિડ પી ગયેલા વૃદ્ધા રાજકોટ ખસેડાયા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધા કોઈ કારણોસર એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાધેક્રિષ્ના એપાર્ટમેન્ટ બી વિંગમાં રહેતા લીલાવંતીબેન ત્રિભોવનભાઈ મોરડીયા નામના ૬૩ વર્ષીય વૃદ્ધા એસિડ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સુત્રો દ્રારા જાણવા મળેલ છે.હાલ બનાવ સંદર્ભે એ ડીવીઝન પોલીસે નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં યુવાનને ઇજા

મોરબીના રવાપર કેનાલ ચોકડી પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી શહેરના સનાળા રોડ ઉમિયા સર્કલ નજીક રહેતા અશોકભાઈ લાવાભાઈ પરમાર નામના ૩૬ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઇ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના દાદાશ્રીનગર ગામે દિનેશભાઈની વાડી રહીને મજૂરીકામ કરતાં મુકેશ સોવેનસિંગ મેળા નામના ૩૫ વર્ષીય આદીવાસી યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં ગત મોડી રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.વધુમાં સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મુકેશની સાથે રહેતો અને મજૂરી કામ કરતો તેનો કૌટુંબિક ભાઇ તેરસિંગ મેડા દ્વારા પથ્થર વડે હુમલો કરવામાં આવતા મુકેશ મેડાને ઈજાઓ પહોંચી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના જેલચોક વિસ્તારની સામે રહેતા લાખાભાઈ કાળાભાઈ વાઘેલા નામનો ૩૩ વર્ષીય યુવાન પાલિકા ખાતેથી પોતાના ઘરે જતા હતા તે સમયે રામચોકની પાસે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટે લેતા ઇજાગ્રસ્ત લાખાભાઈ વાઘેલાને અહીંની મધુરમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.






Latest News