ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનામાં અનાથ થયેલ ૧૨ બાળકોને ૪૮૦૦૦ ની સહાય ચુકવાઇ  


SHARE











મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચુક્વવામાં આવી સહાય: બાળકને ૧૮ વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી દર મહિને ૪૦૦૦ ચુકવાશે

કોરોના કાળમાં માતા અને પિતા બંને ગુમાવનાર અનાથ બાળકો માટે ગુજરાત સરકાર દ્વારા અમલી બનેલ ‘‘મુખ્યમંત્રી બાળ સહાય યોજના’’ અંતર્ગત  મોરબી જિલ્લામાં કોરોના કાળમાં અનાથ થયેલા ૧૨ બાળકોને મહિને ૪૦૦૦ રૂપિયાની સહાયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત તા. ૨૨-૦૬-૨૦૨૧ તથા તા. ૨૮-૦૬-૨૦૨૧ના રોજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એ.એફ. પીપલીયાના અધ્યક્ષ સ્થાને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર એપ્રુવલ કમિટીની મળેલ બેઠકમાં ૧૨ અનાથ બાળકોની સહાય મંજુર તથા સહાય ચુકવવાનો નિર્ણય લેવાયો હતો.

મહામારી દરમિયાન માતા અને પિતા બંને ગુમાવનાર બાળકો કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. આવા નિરાધાર બાળકોને આર્થિક રીતે મદદ કરવા સંવેદનશીલ ગુજરાત સરકાર દ્વારા બાળ સહાય યોજના અમલી બનાવાઈ છે. જેમાં આવા અનાથ બાળકને પ્રતિ માસ સહાય પેટે બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી દરમાસે બાળક દીઠ ૪૦૦૦ મળવા પાત્ર છે. મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત મોરબી જિલ્લાના બાળકોને કોરોનામાં માતા પિતા ગુમાવેલ ૧૨ બાળકોને તા. ૨૯-૦૬-૨૦૨૧ના રોજ સહાય પેટે રૂા. ૪૦૦૦ લાભાર્થી બાળકના ખાતામાં જમા કરી દેવામાં આવેલ છે. આ અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાએ જણાવ્યું કે તા. તા. ૨૨-૦૬-૨૦૨૧ તથા તા. ૨૮-૦૬-૨૦૨૧ના રોજ સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટરકેર એપ્રુવલ કમિટીની બેઠક મળી હતી અને ૧૨ બાળકોને સહાય ચુકવવાની દરખાસ્ત મંજુર કરાઈ હતી. આ બાળકોને ૪૦૦૦ પ્રતિ બાળક લેખે કુલ ૪૮૦૦૦ની સહાય ચુકવવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News