મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન


SHARE







માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન

માળીયાના બગસરાના ખેડૂતના ખેતરને રસ્ત ઉપર મીઠું ઢોળવાથી નુકશાન થતું હોવાથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે જો કે, હજુ સુધીમાં તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તો કાઢી આપવામાં આવેલ નથી જેથી ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આ મુદે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મીઠાના વાહનોની આવક જાવક માટે રસ્તો કાઢી આપવાની તેમજ મીઠાના ઉત્પાદન માટે ગામના લોકો તેમજ અગરીયાઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

માળીયાના બગસરા ગામના સરપંચ ગૌરીબેન નગજીભાઇ પીપળીયાકલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, બગસરા ગામેથી મીઠા ભરેલા ટ્રક સહિતના વાહનો નીકળે છે જેમાંથી મીઠું ઢોળાતું હોય છે અને ખેતરોમાં પાક તેમજ લોકોને નુકશાન થાય છે માટે મીઠું ઢોળતા વાહનોને બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે તેની સાથોસાથ મીઠાના ઉત્પાદન માટે ગામના લોકો તેમજ અગરીયાઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષોથી જે રસ્તા ઉપરથી વાહનો જતાં હતા તે જ રસ્તા ઉપરથી આજની તારીખે પણ મીઠાના વાહનો પસાર થાય છે જો કે, પહેલા ત્યાં વસાહત કે સ્કૂલ ન હતી અને હાલમાં બની ગયેલ છે જેથી ઉદ્યોગકારો દ્વારા પણ અધિકારીને વૈકલ્પિક રસ્તો કાઢી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે જો કે, અધિકારી કોઈ કામ કરેલ નથી જેના લીધે આજની તારીખે ગામના લોકો અને ઉદ્યોગકાર વચ્ચે કારણ વગરનું ઘર્ષણ થઈ રહ્યું છે તે હક્કિત છે

 






Latest News