મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન


SHARE











માળીયા (મી)ના બગસરાના પાસે મીઠા ટ્રકની આવક જાવક માટે તંત્રએ વૈકલ્પિક રસ્તો ન કાઢતા ગ્રામજનો હેરાન

માળીયાના બગસરાના ખેડૂતના ખેતરને રસ્ત ઉપર મીઠું ઢોળવાથી નુકશાન થતું હોવાથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે જો કે, હજુ સુધીમાં તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તો કાઢી આપવામાં આવેલ નથી જેથી ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આ મુદે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને મીઠાના વાહનોની આવક જાવક માટે રસ્તો કાઢી આપવાની તેમજ મીઠાના ઉત્પાદન માટે ગામના લોકો તેમજ અગરીયાઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

માળીયાના બગસરા ગામના સરપંચ ગૌરીબેન નગજીભાઇ પીપળીયાકલેક્ટરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, બગસરા ગામેથી મીઠા ભરેલા ટ્રક સહિતના વાહનો નીકળે છે જેમાંથી મીઠું ઢોળાતું હોય છે અને ખેતરોમાં પાક તેમજ લોકોને નુકશાન થાય છે માટે મીઠું ઢોળતા વાહનોને બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે તેની સાથોસાથ મીઠાના ઉત્પાદન માટે ગામના લોકો તેમજ અગરીયાઓને જમીન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષોથી જે રસ્તા ઉપરથી વાહનો જતાં હતા તે જ રસ્તા ઉપરથી આજની તારીખે પણ મીઠાના વાહનો પસાર થાય છે જો કે, પહેલા ત્યાં વસાહત કે સ્કૂલ ન હતી અને હાલમાં બની ગયેલ છે જેથી ઉદ્યોગકારો દ્વારા પણ અધિકારીને વૈકલ્પિક રસ્તો કાઢી આપવા માટે રજૂઆતો કરવામાં આવી છે જો કે, અધિકારી કોઈ કામ કરેલ નથી જેના લીધે આજની તારીખે ગામના લોકો અને ઉદ્યોગકાર વચ્ચે કારણ વગરનું ઘર્ષણ થઈ રહ્યું છે તે હક્કિત છે

 






Latest News