મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી : કેન્સર દીને યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ


SHARE











મોરબી : કેન્સર દીને યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ
 
મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વિશ્વ કેન્સર ડે નિમિતે લોકો આ જીવલેણ બીમારીથી બચે તે માટે તેમને જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ કાર્યકરો શહેરના જાહેર વિસ્તારોમાં ફરીને બેનેરો પ્રદર્શિત કરીને લોકોમાં કેન્સર સામે જાગૃતિ લાવી ખાસ કરીને યુવાવર્ગ આ જીવલેણ બીમારીથી બચે તે માટે યુવાનોને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા.
 
મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે વર્લ્ડ કેન્સર ડે નિમિતે કેન્સર વિરોધી જનજાગૃતિ અભીયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, કેન્સર જેવી પ્રાણઘાતક બીમારીથી લોકો બચે તેમજ જે લોકો નિયમિત વ્યસન કરતા હોય તે વ્યસનથી દુર રહે અને કેન્સરથી બચે તે માટે યંગ ઇન્ડિયા ગ્રુપના કાર્યકરો દ્વારા કેન્સર વિરોધી પોસ્ટર સાથે શહેરભરમાં ફરીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીના નવા બસસ્ટેન્ડ, શનાળા રોડ, ઉમિયા સર્કલ, બાયપાસ, ભક્તિનગર સર્કલ, સ્કાઈ મોલ, વીસી ફાટક, નટરાજ ફાટક સહિતના જાહેર વિસ્તારોમાં કેન્સર સામે જનજાગૃતિ અભિયાન ચલાવાયું હતું.સાથેસાથે દેશનું ઉજ્જવળ ભવિષ્ય ગણાતા યુવાનો આ મહારોગથી દુર રહે તે માટે તેમને વ્યસનમુક્તિના સંકલ્પ લેવડાવ્યા હતા.





Latest News