મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો


SHARE







મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં વહેલી સવારે મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જવાથી ચાર વર્ષીય બાળકને મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના સિરામીક યુનીટમાં વહેલી સવારના ચારેક વાગ્યે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જતાં સંજય અમૃતભાઈ નિરવા નામના ચાર વર્ષીય બાળકને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે બાળક સંજય નિરવા વધુ ઈજાગ્રસ્ત હોવાના લીધે તેને રાજકોટથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે. હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

માર મારતા સારવારમાં

મોરબી-બગથળા વચ્ચેના રસ્તેથી રીક્ષામાં જતા મહેશ વાઘજી મગવાનીયા કોળી (૨૭), નિલેશ રમણ બારૈયા કોળી (૨૧), સંજય ધનજી બાવરવા કોળી (૨૬) અને દિનેશ ફતેસિંહ બારૈયા કોળી (૨૯) રહે.ચારેય મોડપર વાળાઓને મોડીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બગથળા નજીક પોલીસ જેવા માણસોએ માર મારતાં ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.ખડિયાએ તપાસ હાથ ધરી છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર મદીના સોસાયટી વીશીપરા વિસ્તારમાં રહેતા વિલાસબેન વિજયભાઈ મકવાણા નામની ૩૯ વર્ષીય મહિલા મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસેના હિના પેટ્રોલ પંપ નજીક એકટીવામાં બેસીને જતા હતા ત્યારે એકટીવાનું ટાયર ફાટતાં થયેલ અકસ્માત બનાવવામાં ઈજા થતાં વિલાસબેન મકવાણાને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના લાલપર ગામનો રહેવાસી મન રાજેશભાઈ કડીવાર નામનો ૯ વર્ષીય બાળક મોરબીના આલાપપાર્ક સોસાયટીના ગેઇટ નજીકથી સાયકલ લઈને જતો હતો ત્યારે તે પડી જતાં ઇજાઓ થવાથી મન કડીવારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.






Latest News