મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો


SHARE











મોરબીમાં સિરામિક યુનિટમાં ઈજા થતાં ચાર વર્ષીય બાળકને રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો

મોરબી-વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં વહેલી સવારે મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જવાથી ચાર વર્ષીય બાળકને મોરબી બાદ રાજકોટ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપરના સિરામીક યુનીટમાં વહેલી સવારના ચારેક વાગ્યે અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં મશીનની મોટરના બેલ્ટમાં પગ આવી જતાં સંજય અમૃતભાઈ નિરવા નામના ચાર વર્ષીય બાળકને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જો કે બાળક સંજય નિરવા વધુ ઈજાગ્રસ્ત હોવાના લીધે તેને રાજકોટથી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે. હાલ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

માર મારતા સારવારમાં

મોરબી-બગથળા વચ્ચેના રસ્તેથી રીક્ષામાં જતા મહેશ વાઘજી મગવાનીયા કોળી (૨૭), નિલેશ રમણ બારૈયા કોળી (૨૧), સંજય ધનજી બાવરવા કોળી (૨૬) અને દિનેશ ફતેસિંહ બારૈયા કોળી (૨૯) રહે.ચારેય મોડપર વાળાઓને મોડીરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં બગથળા નજીક પોલીસ જેવા માણસોએ માર મારતાં ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.ખડિયાએ તપાસ હાથ ધરી છે.

મહિલા-બાળક સારવારમાં

મોરબીના લક્ષ્મીનગર મદીના સોસાયટી વીશીપરા વિસ્તારમાં રહેતા વિલાસબેન વિજયભાઈ મકવાણા નામની ૩૯ વર્ષીય મહિલા મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસેના હિના પેટ્રોલ પંપ નજીક એકટીવામાં બેસીને જતા હતા ત્યારે એકટીવાનું ટાયર ફાટતાં થયેલ અકસ્માત બનાવવામાં ઈજા થતાં વિલાસબેન મકવાણાને અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના લાલપર ગામનો રહેવાસી મન રાજેશભાઈ કડીવાર નામનો ૯ વર્ષીય બાળક મોરબીના આલાપપાર્ક સોસાયટીના ગેઇટ નજીકથી સાયકલ લઈને જતો હતો ત્યારે તે પડી જતાં ઇજાઓ થવાથી મન કડીવારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.




Latest News