સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ


SHARE











કિશન ભરવાડના હત્યારાને ફાંસી આપો : મોરબી, વાંકાનેર અને ટંકારા હિન્દુ સમાજની માંગ

અમદાવાદ જિલ્લાના ધંધુકામા કિશન ભરવાડની હત્યા કરવામાં આવી તે મુદ્દે મોરબી, વાંકાનેર અને ટંકારા શહેરની અંદર સર્વ હિંદુ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી અને આવેદનપત્ર પાઠવીને કિશનભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા કરવાની માંગ કરેલ છે તેમજ મૌલવીઓ સહિતના જે કોઈ આ હત્યાકાંડમાં સંડોવાયેલા હોય તેની સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં રહેતા કિશનભાઇ ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી એને આ હત્યા કેસની અંદર આરોપીઓની ધરપકડ પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ છે જો કે આરોપીઓને તાત્કાલિક આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતની અંદર ગામે ગામ રેલી યોજીને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે ત્યારે વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાની અંદર મોરબી શહેરમાં વિહિપ, બજરંગ દળ, એકતા એક લક્ષ, કરણી સેના, મહાકાલ ગ્રુપ, દલવાડી કનૈયા ગૃપ, રાજપૂત સમાજ અને માલધારી સમાજ સહિતના હિન્દુ સંગઠનો તો વાંકાનેર શહેરમાં વાંકાનેરમાં જીતુભાઈ સોમાણી તેમજ સંતો મહંતોની આગેવાનીમાં રેલી યોજવામાં આવી હતી અને ટંકારામાં પણ સર્વ હિંદુ સમાજ દ્વારા રેલી યોજાઈ હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે ખાસ કરીને સર્વ હિંદુ સમાજ દ્વારા કિશનભાઇની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેની સાથોસાથ તેઓએ હત્યાકાંડની અંદર સંડોવાયેલા દિલ્હીના મૌલવી સહિતના તમામ આરોપીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News