મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના મેસરીયા ગામે માનસિક અસ્થિર યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત


SHARE













મોરબીના મેસરીયા ગામે માનસિક અસ્થિર યુવતીએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
 
મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેસરીયા ગામે બે દિવસ પહેલાં માનસિક અસ્થિર યુવતીએ કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવાર દરમિયાન યુવતીનું મોત નિપજયું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
 
વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજા તથા સ્ટાફ દ્વારા મળતી વિગતો મુજબ તાલુકાના મેસરીયા ગામે રહેતી લીલીબેન ગોરધનભાઈ સાકરીયા નામની ૧૮ વર્ષીય યુવતીએ ગત તા.૨૯-૧ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેણીને સારવાર માટે કુવાડવા ખાતેની શ્રીજી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન ગઈકાલ તા.૩૦-૧ ના સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં લીલીબેન સાકરીયાનું મોત નિપજયુ હતુ.હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી જાણ થતાં હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ મથકના ડી.એ.જાડેજાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.તપાસ અધિકારીના જણાવ્યા પ્રમાણે મૃતક લીલીબેન માનસિક અસ્થિર હોય અને તેને લઈને તેઓ ઉપરોકત પગલું ભરી લેતાં તેણીનું મોત નિપજ્યું હતું.
 
જુગારી પકડાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં તીનપતી રમતા ધીરૂભાઈ જીવરાજભાઈ ઉષીણા કોળી, રમણીકભાઈ દેવશીભાઇ ઇંદરીયા કોળી, વિજયભાઈ કાળુભાઈ ઝિંઝુવાડીયા કોળી અને મેહુલભાઈ દેવજીભાઈ પરમાર જાતે કોળી જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી કરીને પોલીસે તેઓની પાસેથી પોકડી રૂા.૧૭૦૦ કબજે કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

સગીરાનું અપહરણ

વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને બદરામ કરવાના ઇરાદે તેણીનું અપહરણ કરવામાં આવ્યું છે.જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષ ઉર્ફે હસમુખ ઉર્ફે હસુ રમેશભાઈ અંબાસણીયા જાતે કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે જેની તપાસ સીપીઆઇ બી.પી.સોનારાને સોંપવામાં આવતા તેઓએ આરોપીને પકડવા માટે અને ભોગ બનેલી સગીરને શોધી કાઢવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.






Latest News