મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને માલધારી સમાજ દ્વારા કિશન બોળીયાની હત્યા મુદે મૌન રેલી


SHARE













મોરબીમાં વિહિપ, બજરંગ દળ અને માલધારી સમાજ દ્વારા કિશન બોળીયાની હત્યા મુદે મૌન રેલી

ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક સ્વ.કિશનભાઈ શિવાભાઈ બોળીયાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રેલી યોજીને આરોપીઓ સામે કડક પગલા લેવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે સોમવારે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર તેમજ માલધારી સમાજ દ્વારા દરબારગઢથી નીકળી કલેક્ટર કચેરી સુધી મૌન પદયાત્રા રેલી યોજાશે

ગુજરાતનાં ધંધુકા ખાતે હિન્દુ માલધારી યુવાન અને ગૌરક્ષક સ્વ. કિશનભાઈ શિવાભાઈ બોળીયાની વિધર્મી દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે અને હત્યારાઓને ઝડપથી પકડીને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડકમાં કડક સજા આપવામાં આવે તે માટે મોરબીમાં મૌન પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને સોમવારે સવારે ૧૧ વાગ્યે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા મોરબી જિલ્લા અને શહેર તેમજ માલધારી સમાજ દ્વારા દરબારગઢથી નીકળી કલેક્ટર કચેરી સુધી મૌન પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિન્દુ પ્રેમી જનતાને બહોળી સંખ્યામાં જોડાવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News