મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી : નરેશભાઇ પટેલે સક્રિય રાજકારણમાં ઝંપલાવવું જોઈએ, પી.પી.જોષી


SHARE











મોરબી : નરેશભાઇ પટેલે સક્રિય રાજકારણમાં ઝંપલાવવું જોઈએ, પી.પી.જોષી

મોરબીના પી.પી.જોશી દ્વારા ખોડલધામમા પ્રણેતા નરેશભાઇ પટેલને પત્ર લખીને જણાવવામાં આવેલ છે કે આપે સક્રિય રાજકારણમાં પ્રવેશવુ જોઈએ અને લોકોના પ્રશ્નોને વાચા આપવી જોઈએ.

મોરબીના પી.પી.જોષીએ ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલને પત્ર લખીને જણાવ્યું છેકે આપે હવે સક્રિય રાજકારણમાં આવવું જોઇએ અને સમય સંજોગો જોતાં હાલના રાજકારણમાં આપના જેવા ઉમદા લોકોની તાતી જરૂર છે કોઈપણ પક્ષ જે આપને પસંદ હોય તેમાં જોડાઇને સર્વે સમાજના હિતમાં આપે રાજકારણમાં આવવું જોઈએ તેવું સમાજનો મોટો વર્ગ પણ ઈચ્છી રહ્યો છે.કારણ કે આપના જેવા ઈમાનદાર અને કૃતજ્ઞ વ્યક્તિઓ જો રાજકારણમાં પ્રવેશે તો ગુજરાત અને દેશનું ચોકકસ કંઈક સારું થઈ શકે તેમ છે માટે ગુજરાતની કરોડની વસ્તીની પણ આવી જ કોઈ અપેક્ષા હશે જેથી કરીને વહેલી તકે આપે સક્રિય રાજકારણમાં જોડાવું જોઈએ. કારણ કે તમામ જ્ઞાતિને સાથે લઈને ચાલવાની વૃતી અને દરેક કામમાં નાત-જાત જોયા વગર કામ કરવાની શૈલીથી આપ લોકોમાં પરિચિત જ છો.દરેક ગુજરાતી પણ આ જ ઇચ્છતા હશે કે આગામી ૨૦૨૨ ની ચૂંટણી પહેલા નરેશભાઇએ સક્રીય રાજકારણમાં પ્રવેશવું જોઈએ.ગુજરાતના દરેક ગામમાંથી નરેશભાઇને ચોક્કસ પૂરતો સાથ અને સહકાર મળે તેમ છે માટે વિના વિલંબે આગામી ચૂંટણી પહેલાં સક્રિય બનીને આપને મનગમતા પક્ષ સાથે જોડાઈને લોકોને આપની અમૂલ્ય સેવાઓનો લાભ મળે અને ગુજરાતના લોકોનું કંઇક ભલુ થાય એ માટે આપે સક્રિય રાજકારણમાં જોડાવવું જોઇએ તેવી પી.પી.જોષીએ લેખિતમાં ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલને રજૂઆત કરેલ છે.






Latest News