ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘડિયા લગ્ન માટે જ્ઞાતિ, સંગઠનો અને સમાજના આગેવાનોને કાંતિભાઈનું આહ્વાન


SHARE











મોરબીમાં ઘડિયા લગ્ન માટે જ્ઞાતિ, સંગઠનો અને સમાજના આગેવાનોને કાંતિભાઈનું આહ્વાન

મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના વિષમ કાર્ડમાં દવાખાનાઓમાં દવા, દસ હજારથી વધારે વડીલોને અક્ષરધામ દર્શન, સરદાર સરોવર પ્રવાસ, મોરબીના સૌથી મોટા નવરાત્રી મહોત્સવ વિનામૂલ્યે આયોજન, ૨૦૦ થી વધારે ક્રિકેટ ટીમોને કીટ, અતિવૃષ્ટિમાં ગોઠણ સમા પાણીમાં પ્રજા સાથે રહીને કામ, ભૂકંપ અસરગ્રસ્તો માટે સમગ્ર વિસ્તારની પદયાત્રા કરેલ છે ત્યારે વર્તમાન સમયની માંગને ધ્યાને લઈને ઘડિયા લગ્ન અથવા મર્યાદિત સંખ્યામાં મર્યાદિત ખર્ચમાં લગ્ન સંપન્ન કરવા માટે કાંતિભાઇ અમૃતિયાએ પહેલ કરી છે અને ઉમા ટાઉનશીપ મુકામે પોતાના તરફથી ભોજન, મંડપ તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવીને બંને પક્ષના મળીને વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અવસર ઉજવાય તેવી વ્યવસ્થા કરી છે જેથી કરીને વિવિધ જ્ઞાતિ સમુદાયના સંગઠનો સમૂહ લગ્ન સમિતિઓ તથા સેવાકીય કાર્યોના અગ્રેસર આગેવાનોને કાંતિભાઈએ કરેલા આયોજનની જાણ થાય અને આવશ્યકતા ધરાવનાર લોકોઆનો લાભ લે તે માટે આગળ આવવા આહ્વાન કર્યું છે






Latest News