મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત


SHARE











મોરબીના સરતાનપર રોડ ઉપર મશીનનો બેલ્ટ બદલાવતા સમયે હાથ આવી જતાં મહિલાનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે સરતાનપર રોડ ઉપરના કારખાનાની અંદર મશીનનો કન્વેન્યર બેલ્ટ બદલાવતા સમયે હાથ મશીનમાં આવી જવાથી મહિલાનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે સરતાનપર રોડ ઉપરના સેટમેક સીરામીકમાં કન્વેન્યર બેલ્ટને બદલાવતા સમયે હાથ મશીન અને બેલ્ટની વચ્ચે આવી જતાં હાથ મશીનમાં ખેંચાઇ જવાથી માથાના ભાગે પછડાટ લાગતા વર્ષાબેન નગીનભાઈ બારીયા નામના ૩૧ વર્ષીય મજુર મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી કરીને તેઓના ડેડબોડીને પીએમ અર્થે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઈ ગોહિલે પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી વાંકાનેર તાલુકા પોલીસને બનાવ સંદર્ભે જાણ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના હરીપર (કેરાળા) ગામના ગીતાબેન હીરાભાઈ પાંચીયા અને હિરાભાઈ સુરાભાઈ પાંચીયાને લક્ષ્મીનગર ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થવાથી બંનેને સારવાર માટે લઈ જવાયા હતા જ્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામે ચુલામાં દાઝી ગયેલ કોમલબેન અરવિંદભાઈ મકવાણા નામની પાંચ વર્ષીય બાળાને સારવાર માટે મોરબી સિવિલે દાખલ કરવામાં આવી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી અરિહંત સોસાયટીમાં રહેતા હરજીવનભાઈ કરમશીભાઇ મેરજા નામના ૬૨ વર્ષીય વૃદ્ધ ઘરેથી કામ સબબ બહાર જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક જીઆઈડીસી પાસે સ્લીપ થઇ જતા ઇજાગ્રસ્ત હરજીવનભાઈ મેરજાને સારવાર માટે ખસેડાયા હતા.જયારે મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા પરાગભાઈ લાભશંકર મોદી નામના ૫૭ વર્ષીય આધેડે ફિનાઇલ પી લેતાં તેમને પણ સારવારમાં ખસેડાયા હતા.પોલીસ મથકના હમીરભાઇના જણાવ્યા પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી પરાગભાઇ કામ કરી શકતા ન હોય માનસિક બીમાર રહેતા હોય અને પત્નીએ કામ કરવું પડતું હોય તેમજ સંતાનમાં બે દીકરીઓ હોય તે બાબતે મનોમન લાગી આવતાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હતું.






Latest News