મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં દંપતી અને તેના બે સંતાનોને ઇજા મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી તા.૩૦ ના નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં આગામી તા.૩૦ ના નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ યોજાશે

મોરબીના જાણીતા તબીબ ડોકટર હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દાતાઓનો આર્થિક સહયોગ મેળવીને મેડીકલ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે જેના અનુસંધાને આગામી તારીખ ૩૦-૧ નાં શિવ શક્તિ,લાતી પ્લોટ શેરી નંબર ૨/૩ મોરબી ખાતે બિપીનભાઈ વ્યાસ અને કાઉન્સિલર પ્રભુભાઈ ભૂત(પાલીકા કાઉન્સીલર)નાં સૌજન્યથી ડો.હસ્તીબેન મહેતાનાં અધ્યક્ષ સ્થાને ૭૨ માં એકદિવસીય નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેનો લાભ લેવા મોરબીવાસીઓને જાહેર અનુરોધ કરવામાં આવેલ છે સાથે દાતાઓનાં સહયોગથી જરૂરતમંદ દર્દીઓને ડાયાબીટીસ તેમજ આંખના ટેસ્ટ  કરી આપવામાં આવશે.તેમજ ત્રણ દિવસની દવા પણ નિ:શુલ્ક આપવામાં આવશે.ઉલેખનિય છે કે મોરબીનાં સેવાભાવી તબીબ ડો.હસ્તીબેન મહેતા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે મોરબીમાં દાતાઓનો સહયોગ મેળવીને જુદા જુદા સ્થળોએ આ પ્રકારે નિ:શુલ્ક નિદાન તેમજ સારવાર કેમ્પના આયોજન કરવામાં આવી રહ્યા છે.






Latest News