મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનારા ૪ અને માસ્ક નહિ પહેરનારા ૪ સામે ગુના નોંધાયા


SHARE











મોરબી-વાંકાનેરમાં રાત્રિ કરફ્યુનો ભંગ કરનારા ૪ અને માસ્ક નહિ પહેરનારા ૪ સામે ગુના નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને હાલમાં સરકાર દ્વારા મોરબી અને વાંકાનેર શહેરી વિસ્તારમાં રાત્રી કર્ફ્યુની અમલવારી શરૂ કરેલ છે દરમિયાન ઘણા લોકો રાત્રિ કરફ્યુનો ભંગ કરીને કારણ વગર રાત્રે આટા ફેરા મારતા હોય છે જેથી કરીને આવા શખ્સોની સામે હવે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ માસ્ક ન પહેરનાર શખ્સોની સામે પણ ગુનો નોંધવામાં આવે છે

મોરબી જિલ્લામાં ધીમે ધીમે કરતા આજની તારીખે લગભગ ૧૬૦૦ કરતાં વધુ કોરોના એક્ટિવ છે અને લગભગ દરરોજ છેલ્લા એક સપ્તાહથી ૧૦૦ થી વધુ કોરોનાના નવા પોઝિટિવ કેસ સામે આવે છે તેમ છતાં પણ હજુ પણ લોકો બેદરકારી રાખી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને રોકવા માટે થઈને રાત્રી કરફ્યુની અમલવારી શરૂ કરવામાં આવી છે અને રાત્રીના 1૧૦ વાગ્યાથી બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુની અમલવારી ચાલુ રહેતી હોય છે જોકે ઘણા શખ્સો કરફ્યુનો ભંગ કરીને કારણ વગર રાતે આંટા મરત હોય છે જેથી આવા શખ્સોની સામે હવે ગુનો નોંધાવમાં આવી રહ્યા છે

મોરબીના વીસી ફાટક પાસેથી પસાર થતા કુલદીપસિંહ ઘનશ્યામ પરમાર જાતે દરબાર (ઉ. ૨૫) રહે. વાણીયા તાલુકો માળીયા, નવદીપસિંહ જયવીરસિંહ જાડેજા જાતે દરબાર (ઉ.૨૧) રહે. વિધ્યુતનગર સર્કીટ હાઉસની સામે મોરબી, મોરબીની રવાપર ચોકડી પાસે વિજયભાઈ મનુભાઈ ગોગા જાતે બોરીચા (ઉં.૨૭) રહે. રવાપર ધાયડી વિસ્તાર મોરબી તેમજ મોરબીના સનાળા રોડ કે.કે.સ્ટીલ સામે જય ભાવાની ફાસ્ટફુડ નામની દુકાન રાતે ૧૦ વાગ્યે ખુલ્લી રાખનાર વેપારી નિકુંજભાઈ કેશવજીભાઇ કાસુન્દ્રા જાતે પટેલ (ઉં ૨૯) રહે. રવાપર રોડ બાપા સીતારામ ચોક મોરબી વાળાની સામે કરફ્યુ ભંગની ફરિયાદ નોંધવામાં આવી છે

તો રાત્રિ કરફ્યુ સમયે માસ્ક પહેર્યા વગર મોરબીના વીસીપરામાં અહેમદહુશેનભાઇ ઇબ્રાહિમભાઇ ભટટી મીયાણા (ઉ.૩૮) રહે. વીસીપરા કેશવાનંદબાપુના આશ્રમ પાસે અને ત્રાજપર ચોકડી પાસેથી રવીભાઇ પરષોતમભાઇ માનેવાડીયા જાતે કોળી (ઉ.૨૧) તેમજ સંજયભાઇ જલાભાઇ સનુરા કોળી (ઉ.૨૮) રહે. ત્રાજપર વાળો નીકળતા તેની સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેર શહેરમાં આવેલ જ્ઞાનગંગા સ્કૂલ પાસેથી પસાર થતાં વિજયભાઈ કાનાભાઈ મદ્રેસાણિયા જાતે કોળી (ઉં. ૨૨) રહે. આરોગ્યનગર વાળાએ માસ્ક પહેર્યું ન હતું જેથી તેની સામે પણ ગુનો નોંધાયો છે






Latest News