મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે


SHARE











માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે ગામે મજૂરી કામ કરવા માટે આવેલા એમપીના મજૂરની પત્નીના વાડાના માલિકના ભત્રીજાએ અશ્લીલ ચેડા કર્યા હતા અને અશ્લીલ માંગણી કરી હતી જેથી કરીને મજૂરે તેને માથામાં ઈંટ અને પથ્થર મારીને તેમજ છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને તેના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. 

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ની હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે મૃતક યુવાન રોહિતભાઈના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલાની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોધ્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હત્યાના દિવસથી જ ગુમ થયેલ આદિવાસી પરિવાર ઉપર પહેલાથી જ શંકા હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલા આદિવાસી પરિવારના યુવાને ગામના જ એક વ્યક્તિના ફોનમાંથી તેના સગાને ફોન કર્યો હતો જેના આધારે માળીયા તાલુકા પોલીસને હત્યાના આ કેસની ગુથી ઉકેલવામાં સફળતા મળી ગયેલ છે અને યુવાનની હત્યા કરનારા આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક (30)ની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મૃતક રોહિતભાઈ આરોપીના ઘરે અવાર નવાર આવતો હતો અને તેને આરોપીની પત્ની સુમિત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરતો હતો અને તેની સાથે અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી આરોપીએ તેની હત્યા કરી નાખી હતી.






Latest News