મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો
Breaking news
Morbi Today

માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે


SHARE











માળીયા(મી) નાં વિરવિદરકામાં યુવાનની હત્યા કરનાર આરોપી જેલ હવાલે

મોરબી જિલ્લાના માળીયા તાલુકાનાં વિરવિદરકા ગામે ગામે મજૂરી કામ કરવા માટે આવેલા એમપીના મજૂરની પત્નીના વાડાના માલિકના ભત્રીજાએ અશ્લીલ ચેડા કર્યા હતા અને અશ્લીલ માંગણી કરી હતી જેથી કરીને મજૂરે તેને માથામાં ઈંટ અને પથ્થર મારીને તેમજ છરી વડે ગળું કાપીને તેની હત્યા કરી હતી જે ગુનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો અને તેના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. 

મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના વિરવિદરકા ગામે તળાવના કાંઠે યુવાન રોહિતભાઈ જીવાભાઈ સુરેલા (૨૭)ની હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે મૃતક યુવાન રોહિતભાઈના ભાઈ મહેશ જીવાભાઈ સુરેલાની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોધ્યો હતો અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી હતી અને હત્યાના દિવસથી જ ગુમ થયેલ આદિવાસી પરિવાર ઉપર પહેલાથી જ શંકા હતી અને તેને શોધવા માટે કવાયત કરવામાં આવી રહી હતી તેવામાં ગુમ થયેલા આદિવાસી પરિવારના યુવાને ગામના જ એક વ્યક્તિના ફોનમાંથી તેના સગાને ફોન કર્યો હતો જેના આધારે માળીયા તાલુકા પોલીસને હત્યાના આ કેસની ગુથી ઉકેલવામાં સફળતા મળી ગયેલ છે અને યુવાનની હત્યા કરનારા આરોપી દિનેશભાઇ ગોવિંદભાઇ નાયક (30)ની ધરપકડ કરવામાં આવી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, મૃતક રોહિતભાઈ આરોપીના ઘરે અવાર નવાર આવતો હતો અને તેને આરોપીની પત્ની સુમિત્રા ઉર્ફે કાળીની મશ્કરી કરતો હતો અને તેની સાથે અશ્લીલ ચેડા કરીને અશ્લીલ માંગણી કરી હતી જેથી આરોપીએ તેની હત્યા કરી નાખી હતી.




Latest News