મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી


SHARE







મોરબી અને માળીયા(મિ.)ના સીંચાઈની સુવિધા વિહોણા ૫૨ ગામોને સિચાઈનું પાણી આપવાની માંગ ઉઠી

મોરબી અને માળીયા(મિ.) તાલુકના ૫૨ ગામોમાં આજની તારીખે  સિચાઈના પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને ઘણા ગામડા ખાલી થઈ ગયા છે ત્યારે મોરબીમાં રહેતા ખેડૂત આગેવાન કાંતિલાલ ડી. બાવરવાસિંચાઈના પાણીથી વંચિત મોરબી અને માળીયાના ૫૨ ગામના ખેડૂતો માટે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં કાંતિલાલ ડી. બાવરવાએ કહ્યું છે કે, સિંચાઈના પાણીથી વંચિત આ બંને તાલુકાના ખેડૂતો રાજકીય હાથા બની તેમજ ગમા અણગમા પડી પોતાના હિતનું રક્ષણ કરી શકતા નથી ટાટીયા ખેચમાં પડ્યા રહે છે અને ખેતી માટે સિંચાઇનું પાણી નર્મદા કે મચ્છુ બેમાંથી મળે તે જરૂરી છે જો કે, પાણી આપવામાં આવતું નથી તે હક્કિત છે ત્યારે ખેતી માટે સિંચાઈનું પાણી જોતું હશે તો કચ્છના કિસાનોએ જે એકતા બતાવી કચ્છને પીવા માટે તેમજ સિંચાઈ માટે વધારાનું પાણી નર્મદા કેનાલમાંથી મેળવવા માટે સિદ્ધાંતિક મંજૂરી સરકાર પાસેથી મેળવી છે તેવી જ રીતે મોરબી જિલ્લાના આ બે તાલુકાનાં ખેડૂતોએ એકતા સાથે લડત કરવી પડશે અત્રે ઉલેખનીય છે કે, નર્મદા કેનાલ તો મોરબી જીલ્લામાં આવેલ જ છે અને મચ્છુ-૨ ડેમ સૌની યોજનાનો મધર ડેમ છે તો પણ આ જિલ્લાના બે તાલુકામાં સિચાઈ માટે પાણી મળી રહ્યું નથી આવી જ રીતે મચ્છુ-૩ માંથી પણ ખેડૂતોને પાણી મળતું નથી જો ખેતી માટે સિંચાઈનું પાણી મેળવવું હશે તો ખેડૂતોની એકતા જરૂરી છે અને જો સરકાર આ બંને તાલુકાના સિંચાઇથી વંચિત ૫૨ ગામોને સિંચાઇનું પાણી આપવા માટે સિદ્ધાંતિક મંજૂરી ન આપે તો બધા ખેડૂતોએ ગાંધી ચિંધ્યા રાહે સત્યાગ્રહ આંદોલન કરવાની જરૂર છે તો જ સરકારના કાન સુધી અહીના ખેડૂતોનો અવાજ પહોચશે અને સરકાર સામે આંદોલન કરવાની પણ કાંતિલાલ ડી. બાવરવાએ તૈયારી બતાવી છે અને ખેડૂતો પાસેથી સહકાર માંગ્યો છ






Latest News