મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય


SHARE











મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ ઋગ્નનાથભાઈ આદ્રોજાએ સરાહનીય કાર્ય કર્યુ હતુ.જેમા તેઓ દ્રારા તેમના કારખાનામાં કામ કરતા મજુર પરિવારો માટે ડૉ.હસ્તિબેન દ્વારા યોજવામાં આવતા એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ડૉ.હસ્તીબેન મહેતાએ આશરે ૯૦ જેટલા દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપી હતી.જરૂરિયાત મુજબ દાતા પરિવાર દ્વારા ડો.હસ્તીબેન મહેતાએ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેકઅપ કર્યું હતુ.કેમ્પમાં કૌશિકાબેન રાવલે દરેક દર્દીઓનું વજન કરી કેસ કાઢી આપ્યા હતા અને રશ્મિન દેસાઈ દ્વારા દર્દીઓને દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. કેમ્પને સફળ બનાવવા માટે શ્રીમતી દીપાબેન ચંદ્રકાંતભાઈ તથા ચંદ્રકાંતભાઈ અદ્રોજા તેમજ તેમના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.કેમ્પના અંતે ચન્દ્રકાંતભાઈ તરફથી ડો.હસ્તીબેનને ત્યાં આવતા દર્દીને એક દિવસની દવા રૂા.૫ માં આપવા માટે એક મહિના માટે રૂા.૧૧,૦૦૦ તેમજ કેમ્પ કરવા માટે રૂા.૪૦૦૦ એમ કુલ રોકડા રૂા.૧૫,૦૦૦ ની રકમનો આર્થીક સહયોગ કર્યો હતો.




Latest News