મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય


SHARE







મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ ઋગ્નનાથભાઈ આદ્રોજાએ સરાહનીય કાર્ય કર્યુ હતુ.જેમા તેઓ દ્રારા તેમના કારખાનામાં કામ કરતા મજુર પરિવારો માટે ડૉ.હસ્તિબેન દ્વારા યોજવામાં આવતા એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ડૉ.હસ્તીબેન મહેતાએ આશરે ૯૦ જેટલા દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપી હતી.જરૂરિયાત મુજબ દાતા પરિવાર દ્વારા ડો.હસ્તીબેન મહેતાએ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેકઅપ કર્યું હતુ.કેમ્પમાં કૌશિકાબેન રાવલે દરેક દર્દીઓનું વજન કરી કેસ કાઢી આપ્યા હતા અને રશ્મિન દેસાઈ દ્વારા દર્દીઓને દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. કેમ્પને સફળ બનાવવા માટે શ્રીમતી દીપાબેન ચંદ્રકાંતભાઈ તથા ચંદ્રકાંતભાઈ અદ્રોજા તેમજ તેમના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.કેમ્પના અંતે ચન્દ્રકાંતભાઈ તરફથી ડો.હસ્તીબેનને ત્યાં આવતા દર્દીને એક દિવસની દવા રૂા.૫ માં આપવા માટે એક મહિના માટે રૂા.૧૧,૦૦૦ તેમજ કેમ્પ કરવા માટે રૂા.૪૦૦૦ એમ કુલ રોકડા રૂા.૧૫,૦૦૦ ની રકમનો આર્થીક સહયોગ કર્યો હતો.






Latest News