મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં સાપ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કવાર્ટરમાં હતો ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને યુવાનને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ આદિત્ય સ્ટીલ રોલીંગ મીલ કંપની નામના કારખાનાની અંદર રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કરણભાઇ સુખદેવભાઇ ઇવને (૧૮) કંપનીના કવાર્ટરમાં હતો તે દરમિયાન તેને ગત તા. ૪/૧/૨૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં સાપ કરડી ગયો હતો જેથી તેને રાજકોટના આશીર્વાદ ક્લિનિકમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી આધેડનું મોત

રાજકોટના રૈયા રોડ ઉપર આવેલ ઈન્દ્રપ્રસ્થનગરમાં કેવલ દ્રષ્ટિ એપાર્ટમેન્ટ બ્લોક નંબર-૧ માં રહેતા પારસભાઈ ભીખાભાઈ કાલાવાડિયા (ઉંમર ૫૦) રાજકોટથી મોરબી થઈને હળવદ બાજુ જઈ રહ્યા હતા ત્યારે ટંકારા પાસે રસ્તામાં તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડયો હતો જેથી પારસભાઈ કાલાવાડિયાને મોરબીની શ્યામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જોકે ત્યાના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ આધેડનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News